-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

ગુરુવાર, 29 જાન્યુઆરી, 2015

ભગવાનને પત્ર

             એક કોલેજીયન યુવાન હતો,તે બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો,નામ તો તેનું રાહુલ હતું.રાહુલ ગામડામાં રહેતો હોવાથી તે સીધો.સાદો અને સરળ યુવાન હતો.રાહુલ ભગવાન પર ખુબ જ વિશ્વાસ રાખતો હતો.ભગવાન પર વિશ્વાસ તો ધણો હતો છતાં રાહુલના જીવનમાં દુર્ગુણોનો અડો જામી ગયો હતો.રાહુલથી કોઈપણ ભૂલ કે કઈ ખરાબ થાય તો તે પોતાની ભૂલ કે ખરાબ કાર્યનું પ્રાયશ્ચિત કરવા bhgvanneભગવાનને પ્રાર્થના કરતો અને તેની માફી માંગતો અને માફ કરવા નમ્ર વિનંતી પણ કરતો.

                રાહુલનોનો એક નિયમ પણ હતો કે દરોજ મંદિરે ભગવાનના દર્શન કરવા જવું, પણ તે એમ માનતો નહી કે મંદિરમાં રહેલી ભગવાનની પ્રતિમા જ ભગવાન છે.તે તો ફક્ત પોતાની શ્રધ્ધા પર જ વિશ્વાસ રાખતો અને મંદિર જતો.
                        રાહુલ સમાજમાં અને પોતાના રહેલા દુર્ગુણોથી કંટાળી ગયો હતો આથી તેણે ભગવાનનેpt ptપત્ર લખવાનું નક્કી કર્યું.રાહુલને પત્ર લખવાનું હેતુ એ હતો તેનામાં જે દુર્ગુનોએ ઘર કર્યું છે તે ભગવાનના ચરણોમાં સમર્પિત કરી નાખું અને પોતાની જીવન ફરી પાણી જેવું પવિત્ર અને સ્વસ્છ રહે,રાહુલ પોતાના નવરાશનો સમય શોધીને bhgvannભગવાનને પત્ર લખવાનું ચાલુ કર્યું .તે પત્ર બહુ વિચિત્ર અને નવીન હશે પોતાના માટે અને ભગવાન માટે પણ કારણ કે રાહુલને કઈક નવું કરવું બહુ ગમતું.રાહુલે આ રીતે પત્ર લખવાનું ચાલુ કર્યું “
                 
                         “ હે ભગવાન, તમે તો સર્વ-વ્યાપી છો,સર્વ-જાણનારા છો,સર્વગુણ સંપન છો, તમે જ આ દુનિયાને ચલાવનાર અને જીવાડનાર અને સહાર કરનારા છો.તમે કણ-કણમાં વાસ કરો છો .તમારા વગર પાંદડું પણ ચાલતું નથી,તમારા વગર દુનિયાનું સર્જન થવું અશક્ય છે,
                હે ભગવાન તમે જ મારા જીવનની અવળી પરીસ્થિતિને સુધારનારા અને મને સુખ-શાંતિ આપનારા છો.હે ભગવાન મારો પત્ર તમને જરીક નવો લાગશે પણ હવે બધી જગ્યાએ આધુનિકતા આવી ગઈ હોવાથી હું પણ તમને આધુનિક રીતે પત્ર લખી રહ્યો છો, પત્ર લખવાનું કારણ એ છે હે ભગવાન મારા જીવનમાં ધણા પ્રકારના virus VIRUS ( દુર્ગુણો ) આવી ગયા છે જેમકે કામ,ક્રોધ,મદ,મત્સર, લોભ વગેરે.આ બધા VIRUS થી મારું જીવન નર્ક જેવું બની ગયું છે,મેં આ બધા VIRUS ને REMOVE કરવા ધણા પ્રયત્ન કર્યા પણ તેમાં મને નિષ્ફળતા મળી.
પછી મેં મારા જીવનમાં પડેલા VIRUS ને દુર કરવા પહેલા સત્યરૂપી ANTI-VIRUS INSTALL કર્યો..
                           આ સત્ય ANTI-VIRUS થી મને ધણી રાહત મળી પણ હું તેને ટકાવી રાખવા અસમર્થ હતો.કારણ કે આ ANTI-VIRUS મારે જીવનમાં ધણા દુખ સહન કરવા પડ્યા,હા એક વાત છે, આ ANTI-VIRUSથી મારા કામ,ક્રોધ,લોભ,મોહ ધીમે ધીમે નાશ પામતા હતા પણ શું કરું મારા જીવનમાં મેં સત્યરૂપી ANTI-VIRUS ને ક્યારેય UPDATE જ ન કર્યો ,આ ANTI-VIRUS પણ મારા માટે નકામો નીકળ્યો.
                 મને હવે આગળનો કોઈ દેખાતો નહોતો.સત્ય ANTI-VIRUS મારા જીવનમાં REMOVE કરવાથી ધણા નવા VIRUS મારા જીવનમાં આવ્યા અને મારું જીવન ખળભળી ઉઠ્યું. હું આ બધા VIRUS કંટાળી ગયો હતો વળી તેને દુર કરવા માટેના કોઈ રસ્તો દેખાતો નહોતો.આથી મેં મારા જીવને FORMAT( આત્મહત્યા ) મરવાનો વિચાર કર્યો,જ્યાં હું મારા જીવને FORMAT મારતા જતો હતો ત્યાં જ મારો જીગરીજાન દોસ્ત આવી ગયો અને મને અટકાવ્યો.મને તેણે પૂછ્યું :કેમ તારા જીવનને FORMAT મારવા તૈયાર કરતો થયો “
           
                         મેં તેને વિગતવાર જણાવતા કહ્યું : મારા જીવનના ધણા પ્રકારના VIRUS ENTER થઇ ગયા છે, જેને હું ક્યારેય UNISTALL કે REMOVEકરી શકતો નથી.આ VIRUS ને લીધે GOOD THINK નામનું SOFTWARE કા તો ઉડી જાય કાતો BRAIN નામના SOFTWARE ની FILE CURRUPT થઇ જાય,આથી મેં નક્કી કર્યું છે મારા જીવનને FORMAT ( આત્મહત્યા ) માર્યા વગર છુટકો નથી,હવે તુજ કહે હું શું કરું.
               હે ભગવાન ,ત્યારે મારા મિત્રે મને એક સરસ મજાની વાત કહી કે બકા રાહુલ, તું જીવનમાં ભક્તિ નામનો ANTI-VIRUS INSTALL કર એટલે તારા જીવનમાંથી બધા virus VIRUS દુર થઇ જશે.અને તારું જીવન કોરા કાગજ જેવું થઇ જશે,એક વાત છે, ભક્તિ નામનો ANTI-VIRUS બહુ ખર્ચાળ છે પણ તેને INSTALL કરવી બહુ સહેલો છે,પણ તેને UPDATE ( ટકાવો ) કરવો બહુ મુસ્કેલ છે,પણ જો તું પ્રયત્ન કરીશ તો તારા જીવનમાં રહેલા બધા VIRUS દુર થઇ જશે અને નવા VIRUS ENTER પણ નહિ થાય.
                        મેં મારા મિત્રની સલાહને માન આપીને હે ભગવાન મેં ભક્તિરૂપી ANTI-VIRUS INSTALL કર્યો ,શરુ શરુમાં મને INSTALL કરવામાં બહુ તકલીફે પડી પણ અંતે મને સફળતા મળી,જયારે જયારે ANTI-VIRUS OUT OF DATE ( કસોટી ) થાય ત્યારે ત્યારે હું UPDATE કરતો ગયો.હવે ભગવાન મારા જીવનમાંથી બધાય VIRUS REMOVE થઇ ગયા અને મારું જીવન શાંતિથી પચાર થવા લાગ્યું.
              હે ભગવાન.હું તમને એક વિનંતી કરું છું કે જયારે જયારે મારે મફતમાં INTERNET CONNECTION ( ભગવાનનું સાનિધ્ય ) જયારે જરૂર પડે ત્યારે આપતા રહેજો કારણ કે તેથી હું મારો ભક્તિરૂપી ANTI-VIRUS UPDATE કરતો રહું.
                       અંતે હે ભગવાન હું મારો આ પત્ર પુરો કરું છુ ,હે ભગવાન આ પત્ર વાચવા તમને નમ્ર વિનંતી છે,અને ક્યારેય મારે ભક્તિરૂપી ANTI-VIRUS UPDATE કરવો હોય ત્યારે CONNECTION LOST (મદદ ન કરવી ) ન થવા દેશો,નહિતર હું ફરી VIRUS ના વ્યૂહમાં અટવાય જઈશ. ફરી વખત આ બધા ખતરનાક VIRUS મારા જીવનમાં ENTER ન થાય તેનું ધ્યાન રાખવા તમને નમ્ર વિનંતી છે,હું મારાથી બનતી કોશીસ કરીશ કે હું ભક્તિરૂપી ANTI-VIRUS ક્યારેય મારા જીવનમાંથી UNINSTALL કે REMOVE કરીશ નહી.અંતમાં જય શ્રી ક્રિષ્ના
તમારો અબુધ અને કોમ્પુટરનો જાણકાર બાળક : રાહુલ

BE HAPPY YAAR

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets