-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

શુક્રવાર, 31 જુલાઈ, 2015

અન્ય સાહિત્ય,



         " અમુક જ્ઞાતિમાં ખાસ કરીને મોટા લોકો ખાલી પોતાના સમાજમાં મોટા મંદિરો બનાવીએ,સમાજ વાડી બનાવીએ દિયે,અને શાળા-કોલેજે બનાવીએ એટલે તેવા લોકો એમ માનવા લાગે છે અમે બધા જ્ઞાતિના મુખ્ય લોકો સમાજની જોરદાર સેવા કરીએ છીએ,સમાજ અમારે લીધે જ આગળ છે.અને હા આ બધું બનાવવા પાછળ કારણ એ હોય છે,કે તેમાં બધાયમાં તેને આવક થાય છે,આવા લોકો એવું જ સર્જન કરે છે જેમાં તેને ફાયદો થાય બાકી ખોટ જાય તેવો ધંધો કોઈ કરવા તૈયાર નથી.

         " આવા લોકો માટે આમ કહેવું પડે....


          " માનવ સેવા એજ પ્રભુ સેવાને બદલે સમાજ સેવા એજ પ્રભુ સેવા "



          " કદાચ આવા લોકો સમાજની સેવા ના કરે તો કઈ નહી પણ તેવો બધા ખાલી એક એક ગૌશાળા બનાવી નાખે તો પણ સેવા કહેવાય,પણ સેવાને નામે મેવા મેળવવા હોય તેને કોણ સમજાવે..

be happy yaar

બુધવાર, 29 જુલાઈ, 2015

મારા વિચારો,


     " એવું લાગે છે કે માણસ કે ભગવાનની કીમત-મહત્વ તેવો જયારે ધરતી પર જીવતા હોય ત્યારે થતું નથી પણ જયારે તેવો આ લોકને છોડીને પરલોકો માં જાય છે ત્યારે વધુ થતી હોય છે..




be happy yaar

મંગળવાર, 28 જુલાઈ, 2015

મારા વિચારો,



     " દુનિયાના દરેક દેશની સરકાર પાસે લાખો,કરોડો,અબજો રૂપિયાના શસ્ત્રો-અસ્ત્રો ખરીદવાના પૈસા છે પણ પોતાના દેશના ગરીબ લોકોની.જરૂરીયાત લોકોની જરૂરીયાત અને ગરીબી દુર કરવાના પૈસા નથી..................ક્યાંક વાંચેલું.

be happy yaar

રવિવાર, 26 જુલાઈ, 2015

મારા વિચારો,



    " દરેક આત્મહત્યા પાછળ ખાલી પ્રેમ જવાબદાર નથી હોતો કેટલીક વાર સંપતી .સતા . પરિવાર,ધંધામાં ખોટ અને ઉછીના લીધેલા પૈસાનું મોટું વ્યાજ પણ જવાબદાર હોય છે.

be happy yaar

શનિવાર, 25 જુલાઈ, 2015

મારા વિચારો,









   " ભગવાનને હવે મનુષ્ય જાત ને મોત ની સજા દેવામાં બહુ આસાન થઇ ગયું,મૃત્યુ દેવું બહુ સરળ થઇ ગયું હોય એમ લાગે છે કારણ કે કેટલાક દવા પીને.ફાંસી ખાઈને આત્મહત્યા કરી લે છે અને કેટલાક અક્સ્માતનો ભોગ બનીને મૃત્યુ પામે છે અને કેટલાક તો વરસાદ વગર અથવા તો વરસાદને લીધે મૃત્યુ પામે છે.........




" બધાની જિંદગી હવે સરળ થઇ ગઈ હોય એમ લાગે છે '







be happy yaar

શુક્રવાર, 24 જુલાઈ, 2015

મારા વિચારો,

   

       " સીતા અને દ્રૌપદી જેવી સ્ત્રીને હેરાન-પરેશાન કરો તો તમે ભલે ગમે તેટલા તાકાતવાન હોય,પૈસાદાર હોય અને શક્તિશાળી હોય તો પણ તમને તેની સજા બહુ ભયાનક મળે છે અને તેની હાલત પણ લંકેશ્વર રાવણ જેવી થાય છે.રાવણ શક્તિશાળી હતો,બધી વિદ્યામાં પારંગત હોવા છતાં અંતે તો તેનું પણ કરુણ અંત આવ્યું અને તેના કુળનો પણ નાશ થયો. "




        " કોઈપણ પવિત્ર સ્ત્રીને હેરાન-પરેશાન કરવાથી તે માણસ નું તો મોત આવે છે સાથે સાથે તેના કુળનું પણ મોત આવી જાય છે "







be happy yaar

બુધવાર, 22 જુલાઈ, 2015

મારા વિચારો,

  

" લોકો કોઈને સફેદ કપડામાં અથવા તો ભગવા કપડામાં જોવે એટલે તેના પ્રત્યે તેને દયાભાવ આવી જાય.તેના પ્રત્યે તેને પ્રેમ થઇ જાય અથવા તો ભગવા કપડા વાળા જે પણ કામ કરે તે બધા સારા કામ કરતા હોય તેવો તેને વિશ્વાસ હોય છે.પણ ખરેખર આ સફેદ અને ભગવા કપડા વાળા જેટલા કુંડાળા કરતા હશે તેટલા કોઈ બીજા ખરાબ કામ કરતા હશે..... ખબર નથી પડતી કે લોકોને ભગવા કપડામાં જે વ્યક્તિ છે તેમાં તેને સંતના.બાબાના જ કેમ દર્શન થતા હશે.કેમ કોઈને પાંખડી,ધુતારા દર્શન થતા નહી''
" ભગવા કપડા વાળા દરેક સંત હોતા નથી અને સફેદ કપડાવાળા દરેક રાજકારણી પણ હોતા નથી.કેટલાક ન સમજી શકાય તેવા પણ ચહેરા તેમાં છુપાયેલા હોય છે....
કહેવાય છે કે કળયુગમાં પાંખડીની વધુ પૂજા થશે જયારે સાચા સંતોને ઠોકર અને અપશબ્દ ખાવાનો જ વારો આવશે///


be happy yaar

મંગળવાર, 21 જુલાઈ, 2015

મારા વિચારો,








     આવા લોકો ને મુર્ખ કહેવા કે અભણ કહેવા તે કઈ ખબર પડતી નથી કારણ કે તેવા લોકોને મમ્મી હોય છે છતાં બીજા લોકોન તેવો મમ્મી વિશે અપશબ્દ કહેતા હોય છે, તેવા લોકોને પાપા હોય છે છતાં બીજા લોકોને પાપા વિષે અપશબ્દ કહેતા હોય છે.તેવા લોકોને ભાઈ-બહેન હોય છે છતાં તેવા લોકો બીજાને ભાઈ-બહેન વિષે અપશબ્દ અથવા તો ક્યારેક કારણવગર હેરાન-પરેશાન કરતા હોય છે,,,,,







be happy yaar




સોમવાર, 20 જુલાઈ, 2015

મારા વિચારો







         " હે મનુષ્ય .જો કોઈ તારા સબંધિત અથવા તો કુટુંબી લોકો મૃત્યુના મહેમાન બને તો તેની પાછળ તું રડીશ નહી,કારણ કે જે મૃત્યુ પામનાર વ્યક્તિ પાછળ રડનાર લોકોને કારણે તેની આત્માને શાંતિ મળતી નથી,અને આમપણ તુ પણ એક દિવસ આ દુનિયા છોડીને એકલો જતો રહીશ,તારી પાછળ પણ જો કોઈ રડશે તો તારી આત્માને શાંતિ મળશે નહી.માટે જેમ કોઈ જન્મે છે ત્યારે આપણે તેનો સહર્ષ સ્વીકાર કરીએ છીએ તેમ જેમ કોઈ મૃત્યુ પામે તેનો પણ સહર્ષ સ્વીકાર કરવો જોઈએ.તેના આત્માને દુખ ના પહોસે તે માટે કોઇપણ પ્રકારનો શોક કરવો જોઈએ...એમ હું નથી કહેતો પણ એક ગોરબાપા કહેતે હતા......




         " માણસ જેમ કોઈના જન્મને હળવાશથી થી લઇ શકે છે તેમ તેવો કોઈનું મૃત્યુને હળવાશથી લઇ શકતા નથી.કોઈના જન્મ પર તેવો સુખી થાય છે અને બધાને મીઠાઈઓ બાટે છે અને કોઈના મૃત્યુ પર તેવો દુખી થાય છે અને બધાને શોક બાટે છે .....




be happy yaar



  

શનિવાર, 18 જુલાઈ, 2015

મારા વિચારો,






" જે પુરુષો કે યુવાનો સ્ત્રી જેવું વર્તન કરતા હોય અથવા સ્ત્રી જેવું જીવન જીવતા હોય ત્યાં તેની પત્નીઓ અથવા તો ગર્લફ્રેન્ડ રાજાશાહી ભોગવતી હોય છે અથવા તો રાજા જેવું જીવન જીવતી હોય છે "







be happy yaar

મારા વિચારો,






   " કુતરાઓ પર જયારે દબાણ આવતું હોય છે અથવા તો તેને ભૂખ લાગતી હોય છે ત્યારે તે ભસવાનું ચાલુ કરી દેતા હોય છે....જેમ કે..........તમે જાણો છે તે કોણ છે

be happy yaar

શુક્રવાર, 17 જુલાઈ, 2015

મારા વિચારો,







" જે લોકો લાયક બનવામાં નિષ્ફળ જતા હોય છે તેવા લોકો નાલાયક બનવાનો પછી પ્રયત્ન કરતા હોય છે..







be happy yaar

મંગળવાર, 14 જુલાઈ, 2015

મારા વિચારો,



         " જે દેશમાં ભગવાન .સાધુ-સંતો વધુ થઇ ગયા હોય તેવા દેશમાં અધર્મી.લુચ્ચા.હરામી.બદમાશ.ખરાબ,પાંખડી લોકો વધુ રહેતા હોય છે..
be happy yaar.

રવિવાર, 12 જુલાઈ, 2015

મારા વિચારો,

          " જે લોકો ગીતા,બાઈબલ,કુરાન,રામાયણ જેવા પવિત્ર પુસ્તકો વાંચીને,થોડુક સમજીને સુધાર્યા નહી,સમજ્યા નહી ,જેના જીવનમાં કઈ પરિવર્તન આવ્યું નહી તેવા લોકો વિદુર નીતિ,ચાણક્ય નીતિ,નીતિશતક અથવા તો જેવા તેવા મોટા ગજાના લેખકોના પુસ્તક વાંચીને શું શુધારવા,શું પરિવર્તન લાવવાના,કઈ રીતે તેવો સારા થવાના ,,,,,,,,,,,,,, 

મારા વિચારો,



      સાચી અને સારી સલાહ અને ઉપદેશ દેવામાં શું રાખ્યું છે કારણ કે લોકોને તમે ગમે તેટલા સારા અને સુંદર ઉપદેશ આપશો છતાં લોકોને જે કરવું હોય તેજ કરજે.નહી કે તમે જે ઉપદેશ આપ્યા તે પ્રમાણે .....




BE HAPPY YAAR

શનિવાર, 11 જુલાઈ, 2015

મારા વિચારો,

    " લોકો જેમ જેમ ટુકા કપડા-વસ્ત્રો  પહેવારવા લાગ્યા છે તેમ તેમ તેવો વ્યહાર ,વર્તન અને વાણી પણ ટુકી કરવા લાગ્યા છે.અને ક્યારેક તો  તેવો પોતાની જિંદગી પણ આત્મહત્યા કરીને ટુકી કરવા લાગ્યા છે.આજના લોકો જય શ્રી કૃષ્ણ કહેવાને બદલે હવે ખાલી તેવો jsk કહેવા લાગ્યા છે.અને good morning અને good night કહેવાને બદલે તેવો હવે gm અને gn કહેવા લાગ્યા છે,

મારા વિચારો,



એક દીવાલ પર લખેલું હતું

" જો તમારે માં ની જરૂર હોય અથવા તો તેને જોવા માંગતા હોય તો આજથી જ દરેક છોકરીઓને અને યુવતીઓને બચાવવાનું અને રક્ષણ કરવાનું ચાલુ કરી દયો.......




BE HAPPY YAAR

શુક્રવાર, 10 જુલાઈ, 2015

મારા વિચારો,



દેશમાં પુરુષોનું રાજ ચાલે છે.

ઘરમાં સ્ત્રીઓનું રાજ ચાલે છે

કોલેજમાં યુવાનોનું રાજ ચાલે છે અને

પ્રેમમાં યુવતીઓનું રાજ ચાલે છે







BE HAPPY YAAR

બુધવાર, 8 જુલાઈ, 2015

મારા વિચારો



    " માણસ જેમ જેમ ઉમરમાં મોટો અને વૃદ્ધ થતો જાય તેમ તેમ તે ડાયો અને ધાર્મિક બનતો જતો હોય છે,કારણ કે હવે તે ભક્તિ સિવાય કઈ કરી શકે એમ ના હોય અને વળી તેને અપેક્ષા પણ કે મૃત્યુ પછી કદાચ તેને સ્વર્ગ અથવા તો મોક્ષ મળી જશે "




BE HAPPY YAAR

મંગળવાર, 7 જુલાઈ, 2015

મારા વિચારો,



       પ્રેમ થઇ જાય તો એક વખત કરી લેવો જોઈએ કારણ કે દુનિયા પર અને દુનિયાના લોકો પર નફરત તો બધા લોકોને છે "




BE HAPPY YAAR

સોમવાર, 6 જુલાઈ, 2015

મારા વિચારો



    " ટોઇલેટ અને લેટરીંગ કરવાથી મનુષ્યને જેટલી શાંતિ અને હાશકારો મળે છે તેટલી શાંતિ અને હાશકારો તેને મંદિરે ભગવાન ના દર્શન કરવાથી પણ નથી મળતા છતાં લોકો ઘરે ઘરે અથવા તો ગલીએ ગલી બાથરૂમ બનાવવાને બદલે ભગવાન ના મંદિર વધુ બનાવે છે.....




be happy yaar
Blogger Widgets