મને એવા દેશની દયા આવે છે કે
જ્યાં દિલ-દીલ તોડવાવાળા બેફિકર ફરે છે અને
મંદિર તોડવાવાળાને મોતની સજા મળે છે
જ્યાં કરોડોના ગોટાળા કરનાર મોજ-મસ્તી કરે છે અને
રૂપિયાની ચોરી કરનાર જેલના સળિયા ગણે છે
મને એવા દેશની દયા આવે છે
જ્યાં બળાત્કારીઓ લીલાલહેર કરે છે અને
છેડતી કરનારને લોકો ધોઈ-ધોઈને અધમુવો કરી નાખે છે
જ્યાં પથ્થરોની સેવા કરનારો ધાર્મિક તરીકે ઓળખાય છે અને
ગરીબોની સેવા કરનારને સ્વાર્થી ગણવામાં આવે છે
મને એવા દેશની દયા આવે છે
જ્યાં પૈસાવાળા સમાજમાં આદરણીય ગણાય છે અને
પ્રેમ કરનારને લાકડી-ધોકાનો માર પડે છે
જ્યાં ઢોંગી લોકો સાધુ-સંતો તરીકે પૂજાય છે અને
સત્યવાદી લોકો હસીનું પાત્ર બને છે
મને એવા દેશની દયા આવે છે
જ્યાં નિર્દોષ હરણીઓનો જાહેરમાં શિકાર થાય છે અને
ખૂંખાર સિહોને પાંજરમાં પૂરીને રક્ષણ અપાય છે
જ્યાં લોકોની શ્રધ્ધાને અંધશ્રધ્ધા કહેવામાં આવે છે અને
અંધશ્રધ્ધાને શ્રધ્ધા માનીને વિસ્વાસ કરવામાં આવે છે
મને એવા દેશની દયા આવે છે
જે દેશના બધા વિદ્યાર્થીઓ FACEBOOK, WHATSAPP માં વ્યસ્ત રહે છે અને
પરીક્ષાના સમયમાં માનતા માનીને સારી ટકાવારીએ પાસ થવાની આશા રાખે છે
જે દેશના રાજકારણીઓ ચુંટણીઓમાં ખોટા વાયદા-વચનો આપે છે અને
બેવકૂફ પ્રજા તેના પર વિશ્વાસ મુકીને તેને સારા એવા મતોએ જીતાડે છે
પરીક્ષાના સમયમાં માનતા માનીને સારી ટકાવારીએ પાસ થવાની આશા રાખે છે
જે દેશના રાજકારણીઓ ચુંટણીઓમાં ખોટા વાયદા-વચનો આપે છે અને
બેવકૂફ પ્રજા તેના પર વિશ્વાસ મુકીને તેને સારા એવા મતોએ જીતાડે છે
મને આવા દેશની બહુ દયા આવે છે યાર ....................
બહુ સરસ બકા
જવાબ આપોકાઢી નાખોthank u
જવાબ આપોકાઢી નાખો