-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

સોમવાર, 30 નવેમ્બર, 2015

મારા વિચારો,



" જો તમને કોઈ વ્યક્તિ કે બીજી કોઈ બાબત પસંદ હોતી નથી અથવા તો ગમતી હોતી નથી એટલે તમે તેના વિષે કઈ પણ બોલતા નથી.તેના વિષે ન બોલવાથી સારું રહેતું હોય અને તમને ખબર છે કે જો હું તેના વિષે બોલીશ તો કારણવગર માથાકૂટ અને લડાઈ થશે એવું માનીને તમે જેને પસંદ કરતા નથી,તમે જેમનો વિરોધ કરો છો તેના વિષે મૂગું રહેવામાં શાણપણ માનવું જોઈએ.




આમ મારો કહેવાનો અર્થ એ છે કે નાસ્તિક લોકો ધર્મનો વિરોધ કરતા હોય છે,ધર્મને પસંદ કરતા હોતા નથી,તો શા માટે તેવો ધર્મની જ વાતો કરતા હોય છે,શા માટે ધર્મની ટીકા કરતા હોય છે,બધાને ખબર હોય છે તમને ધર્મ ગમતો નથી તો શા માટે તમે ધર્મની વાતો કરતા રહેતા હોવ છુ.જે વસ્તુ ગમતી ના હોય તેના વિષે વાત કરવી નકામી છે તો પણ શા માટે આસ્તિકો નાસ્તિકની અને નાસ્તિકો આસ્તીકોની નિંદા કરતા રહેતા હોય છે "




" તમને જે ગમે છે તેની વાત કરવાને બદલે લોકો શા માટે જે નથી ગમતું તેની વાત વધુ કરતા હોય છે,તમારા માટે શેની વાત કરવી જરૂરી છે,ગમતું હોય તેની કે ન ગમતું હોય તેની ..................




be happy yaar

રવિવાર, 29 નવેમ્બર, 2015

મારા વિચારો,



" અત્યારે બે પ્રકારના લોકો જોવા મળે છે.પહેલા પ્રકારના લોકો તે છે જે ધર્મની નિંદા કરે છે અને બીજા પ્રકારના લોકો એ છે જે અધર્મની નિંદા કરે છે,આ બન્ને પ્રકારના લોકો માંથી કોની નિંદા સાચી ગણવી તેજ કઈ સમજાતું નથી.કોણ સાચું છે તેજ કહેવું મુશ્કેલ છે "




" જો બધા માટે કુતરાઓ જ વફાદાર રહેવાનો હોય તો પ્રેમીઓ બેવફા જ નીકળવાના તેમાં કોઈ શંકાને સ્થાન નથી.અને જો તે વફાદાર નીકળે તો તેની ગણતરી..........આમાં થશે "




be happy yaar

શનિવાર, 28 નવેમ્બર, 2015

મારા વિચારો,



" આ દુનિયામાં એવો નાસ્તિક શોધવો મુશ્કેલ છે જે ધર્મ-જ્ઞાતિ-સંપ્રદાય ની નિંદા અને વિરોધ કરતો ના હોય અને એવો આસ્તિક શોધવો મુશ્કેલ છે કે જેને મંદિરમાં-સાધુ-સંતો પ્રત્યે પાગલપન ના હોય "




be happy yaar

શુક્રવાર, 27 નવેમ્બર, 2015

મારા વિચારો,



" આ દેશમાં ગ્રેજ્યુએટ પૂર્ણ કરવાથી કઈ નથી થતું પણ રાજકારણી અને સાધુ-સંત બનવાથી ધણું બધું થઇ શકે છે "







be happy yaar

ગુરુવાર, 26 નવેમ્બર, 2015

મારા વિચારો,



" જેમ જ્યાં જ્યાં અહિંસાના પુજારી એવા ગાંઘી બાપુની તસ્વીર બિરાજમાન હોય ત્યાં જ વધુ હિંસા થતી હોય છે તેમ તેમ જ્યાં વધુ ધાર્મિકો અથવા ધર્મો જોવા મળતા હોય છે ત્યાં જ વધુ ને વધુ પાંખડ,દંભ અને લુંટવાનું એવું બધું જોવા મળતું હોય છે "







be happy yaar

મંગળવાર, 24 નવેમ્બર, 2015

મારા વિચારો,



" સરકાર સાથે દુશ્મની ના કરાય હો ભાઈ.કારણ કે તેવો જો ચુંટણી ના લીસ્ટમાંથી આપણું નામ કમી કરી શકતી હોય તો તે રેશનકાર્ડ માંથી પણ નામ કમી કરી શકે છે "ડરના જરૂરી હે મિત્રો હહાહા

be happy yaar

સોમવાર, 23 નવેમ્બર, 2015

મારા વિચારો,



" મત એ હવે લત જેવું લાગવા માંડ્યું છે " મત આપવાથી ઉમેદવાર તો કઈ ફાયદો થતો નથી પણ પણ જેને મત મળે છે તેને ધણો ફાયદો થાય છે કારણ કે પછી બેઠા બેઠા સમાજના કામ ના કરે તો કઈ નહી પણ ભ્રષ્ટાચાર કરીને કરોડોની કમાણી તો કરી શકે ને,એમ લાગે છે કે અત્યારના જમાનામાં ભગવાનને જો ટક્કર આપી શકે એમ હોય તો તે પૈસા જ છે, "

" ભગવાન જેટલા કામ નથી કરી શકતા તેનાથી વધુ કામ પૈસા કરી દેતા હોય તેમ લાગે છે "


be happy yaar

શુક્રવાર, 20 નવેમ્બર, 2015

" માનવજાત "


માનવજાત રાજી હોય તો પથ્થર માટે મહેલ જેવા મંદિરો પણ બનાવી આપી અને જો રાજી ના હોય તો રસ્તા પર સુતેલા લોકો માટે ઝુપડા પણ બનાવી ના આપે
માનવજાત રાજી હોય તો પથ્થર સામે બત્રીસ ભાતના ભોજન પણ ધરે અને
રાજી ના હોય તો ભૂખ્યા હોય તેને રોટલાનો એક ટુકડો પણ ના આપે
માનવજાત રાજી હોય તો પથ્થરને દરોજ નવા નવા વાઘા પણ પહેરાવી દે અને રાજી ના હોય તો નગ્ન હોય તેને એક કપડું પણ ના આપે
માનવજાત રાજી હોય તો પથ્થર માટે કરોડોનું દાન પણ આપી દે અને
રાજી ના હોય ભિખારીને રૂપિયાનો એક સિક્કો પણ ના આપે
માનવજાત રાજી હોય તો પથ્થરને પણ દૂધ-ઘીથી સ્નાન કરાવી દે અને
રાજી ના હોય તો તરસ્યાને પાણીનો ગ્લાસ પણ ના આપે
માનવજાત રાજી હોય તો પથ્થરને પણ ભગવાન માનવા લાગે અને
જો રાજી ના હોય તો પોતાના માં-બાપ તેના માટે કઈ ના હોય "

be happy yaar

ગુરુવાર, 19 નવેમ્બર, 2015

મારા વિચારો,



just kidding







" જો તમારો ઈરાદો બીજાને લૂટવાનો જ હોય તો તમે પોલીસ વાળા બનો

જો તમારો ઈરાદો ભ્રષ્ટાચાર કરવાનો હોય તો તમે રાજકારણી બનો

જો તમારો ઈરાદો હરવા-ફરવાનો હોય તો તમે વડાપ્રધાન બનો

જો તમારો ઈરાદો મહેનત કરવાનો હોય તો તમે મજુર બનો

જો તમારો ઈરાદો બીજા લોકોને શિષ્ય બનાવવાનો હોય તો તમે ગુરુ યા સંત બનો

જો તમારો ઈરાદો ખોટા વાયદા કરવાનો હોય તો તમે નેતા બની જાવ અને

જો તમારો ઈરાદો ચોરી કરવાનો હોય તો તમે ચોર બનો "




" બધા સરખા હોતા નથી કેટલાક અપવાદ પણ હોઈ શકે તેમ આમાં પણ તેવું બની શકે છે "













be happy yaar

બુધવાર, 18 નવેમ્બર, 2015

મારા વિચારો,



" ખોટી રીતે અને કારણવગર બીજા સાથે સંધર્ષ કરનાર ક્યારેય જીવનમાં પ્રગતી કરી શકતો નથી શિવાય કે જેલમાં આવા જવાની પ્રગતી "







be happy યાર

સોમવાર, 16 નવેમ્બર, 2015

મારા વિચારો,



" વર્ષ બદલાય છે.મહિનો બદલાય છે.દિવસ બદલાય છે અને સમય પણ બદલાય છે પણ માણસ નથી બદલાતો.તે તો જ્યાં હોય ત્યાંનો ત્યાં જ રહે છે "




પરિવર્તન સંસારનો નિયમ છે પણ અમુક માટે,બાકી બધા તો જેમ ચાલે છે અથવા તો જેમ જીવે છે તેમ જ જીવે છે,નથી પોતાનામાં પરિવર્તન લાવતા કે ન થી કોઈનું પરિવર્તન સ્વીકારતા.







be happy yaar

શુક્રવાર, 13 નવેમ્બર, 2015

મારા વિચારો,



" અમુક પુરુષો સસ્તું અને વેચાવ રમકડા સમાન હોય છે.આવા પુરુષોને કોઇપણ સ્ત્રી આસાનીથી પોતાની એક ખાલી સાચું-ખોટું સ્મિત આપીને ખરીદી લેતી હોય છે,અને વળી આવા પુરુષો સ્મિત પાછળ સ્ત્રી પાસે વેચાય પણ જતા હોય છે,

‪#‎be_HAPPY_YAR‬

ગુરુવાર, 12 નવેમ્બર, 2015

મારા વિચારો,

" કીમત અને ઈજ્જત-આબરૂ તો વધુ ખરાબ અને બદમાશ હોય તેવા લોકોને જ વધુ મળતી હોય છે બાકી સારા લોકોના ભાગ્યમાં તો ખાલી વખાણ જ હોય છે"
" સમાજના લોકોને ખરાબ અને બદમાશ લોકો પ્રત્યે બહુ ગુસ્સે અને ક્રોધ આવતો હોય છે પણ સૌથી વધુ પ્રેમ પણ સમાજના લોકોને તેવા પ્રત્યે જ હોય છે,આ પણ એક નક્કર વાસ્તવિકતા છે "
be happy યાર

બુધવાર, 11 નવેમ્બર, 2015

મારું કટાક્ષ સાહિત્ય,



" ભારતમાં અમુક લોકો દેશીમાં જીવે છે
અમુક લોકો એસીમાં જીવે અને
જયારે અમુક લોકો વિદેશોમાં જીવે છે "


જીંદગીમાં અમુક શરીર વેચીને કમાણી કરતા હોય છે,અમુક ઈમાન વેચીને કમાણી કરતા હોય છે અને જયારે અમુક મહેનત-મજુરી કરીને કમાણી કરતા હોય છે,.

‪#‎BE_HAPPY_YAR‬

મંગળવાર, 10 નવેમ્બર, 2015

મારા વિચારો,




" જિંદગી ક્યારેય વેશ્યા જેવી ના બનાવો કે તમારી પાસે મબલક પૈસા તો હોય છે પણ સમાજમાં તમને કોઈ માન-સન્માન ન આપતા હોય અને તમારે બધા સામે નીચી નજરે ચાલવું પડે , પણ રાજકારણી બનો તો કઈ વાંધો નહી કારણકે તમે ગમે તેટલા ખરાબ હોવ છતાં લોકો તમારી પાસે આવશે,તમને માન આપશે.કારણ કે રાજકારણી પાસે સતા હોય છે....................................







be happy yaar

સોમવાર, 9 નવેમ્બર, 2015

અન્ય સાહિત્ય,



" દિવાળી આવે એટલે લોકો ઘરની સાફ-સફાઈ કરતા હોય તેમ બિહારી લોકોએ ચુંટણીમાં ભાજપાની સાફ-સફાઈ કરી નાખી,મોદી સાહેબનું સ્વચ્છ ભારતનું સ્વપ્નને બિહારના લોકોએ સ્વચ્છ ભાજપાનું સ્વપ્નમાં બદલાવી નાખ્યું હોય તેમ લાગે છે.
" ચુંટણી ના પરિણામ જોઈને કેટલાકની દિવાળી સુધરી ગઈ હશે અને કેટલાક બિચારાની દિવાળી બગડી ગઈ હશે "


ગુજરાતી ફિલ્મનું એક નામ છે " મચ્છુ તારા વહેતા પાણી તેની જગ્યાએ અત્યારે ભાજપ તારા વળતા પાણી "

" અહી હવા ફેલાવવા વાળાની જ હવા નીકળી ગઈ "

be happy yaar

રવિવાર, 8 નવેમ્બર, 2015

અન્ય સાહિત્ય



for fun




" દિવાળી એટલે પ્રકાશનો પર્વ,પણ ગમે તેટલી દિવાળી આવે છતાં લોકોના જીવનમાં જ્ઞાન રૂપી પ્રકાશ તો નથી આવતો પણ ઘરમાં લાઈટ રૂપી પ્રકાશ પણ નથી હોતો,કારણ કે ઇલેક્ટ્રિક બીલ જ એટલું આવે છે કે લોકોની ઘરે લાઈટ હોવા છતાં તેવો અંધકારમાં જીવતા હોય તેમ લાગે છે "




be happy yaar

શનિવાર, 7 નવેમ્બર, 2015

અન્ય સાહિત્ય,



just for kidding yaar

અત્યારના જમાના પ્રમાણે "


" સુખ-દુખ વગર જિંદગી નકામી
ભ્રષ્ટાચાર વગર રાજકારણ નકામું
પાંખડ વગર ભક્તિ નકામી
શરીરસુખ વગર પ્રેમ નકામો
અભિમાન વગર ખુરશી નકામી
પુસ્તિકા જ્ઞાન વગરના વિદ્વાન નકામાં
સ્નેહ-હૂફ વગર કુટુંબ નકામું
વફાદારી વગર દોસ્તી નકામી
લાલચ વગર કોઈ કાર્ય નકામું
ભગવા વસ્ત્રો વિના સાધુ-સંતો નકામાં
લાંચ વિના પોલીશો નકામાં અને
ફેચબુક વિના બધા ગુજરાતી નકામાં "

‪#‎be‬ happy yar

શુક્રવાર, 6 નવેમ્બર, 2015

મારા વિચારો,



" જ્યાં જાડી બુદ્ધિનું વર્ચસ્વ વધુ હોય ત્યાં વિવેક બુદ્ધિ કઈ કામ મા આવતી નથી "

" જે લોકો બેંક માં પૈસા સેવિંગ કરી શકતા નથી તે લોકો મંદિરમાં પૈસા સેવિંગ કરી રહ્યા છે "


be happy yaar

બુધવાર, 4 નવેમ્બર, 2015

મારા વિચારો,



" અમુક લોકોને પોતાના માતા પિતાના આશીર્વાદ કરતા ભગવાનના આશીર્વાદ લેવા વધુ ગમે છે એટલે તો લોકો પોતાના માતા પિતાના ચરણને છોડીને મંદિરમાં ભગવાનના ચરણ વધુ પકડે છે,આવા ભગવાનના ચરણ પકડવા વાળા લોકો એમ કદાચ માનતા હશે કે માતા-પિતા તો ખાલી જન્મ જ આપી શકે બાકી સુખ સમૃધી અને શાંતિ અને અંતે મોક્ષ તો ભગવાન જ આપી શકે છે,

આજના લોકો પોતાના માતા પિતાને વૃધાશ્રમમાં મોકલી રહ્યા છે અને પથ્થરમાં રહેલા ભગવાનને ધરમાં રહીને સારા એવા સ્થાનમાં સ્થાપન કરે છે,,ખરેખર આજના લોકોની ભગવાન પ્રત્યેની ભક્તિ સમરા કાઢે છે,,,,,


‪#‎BE_HAPPY_YAAR‬

મંગળવાર, 3 નવેમ્બર, 2015

મારા વિચારો,



" ભારતમાં રહેતા લોકો "







બધા આમ જ કહે છે

અમે હિંદુ છીએ

અમે મુસ્લિમ છીએ

અમે ખ્રીસ્તી છીએ

અમે યહૂદી છીએ

અમે બૌદ્ધ છીએ

અમે જૈન છીએ પણ કોઈ

એમ નથી કહેતું કે અમે બધા ભારતીય છીએ




જો આ બધા લોકો એકી સાથે એક વખત કે એક વાર પણ દુનિયા સામે એમ કહે કે અમે બધા ભારતીયો છીએ તો દુનિયાના બીજા કોઈ દેશની કે કોઈના બાપની તાકાત નથી કે ભારત સામે ઉંચી આંખ કરે કે ભારત સામે નજર બગાડે, પણ બધાને અલગ થવું છે તેમાં આપણે શું કરીએ




જેમ કે

ભારત બાટા,પાકિસ્તાન બાટા

મત બાટો ઇન્સાન કો







‪#‎be_happy_yar‬

સોમવાર, 2 નવેમ્બર, 2015

મારા વિચારો,



" નાસ્તિક લોકો અને વિરોધ કરતા લોકો બન્ને ભાઈ-ભાઈ હોય તેમ લાગે છે કારણ કે જયારે સજ્જન લોકો કોઈ સારું કાર્ય કરતા હોય ત્યારે વિરુધી લોકો તેને નકારતા હોય તેમ ધાર્મિક લોકો જયારે કોઈ કાર્ય કરતા હોય ત્યારે નાસ્તિક લોકો નકારતા હોય છે.આ બન્ને ભાઈઓ કારણ વગર અથવા કારણ સાથે નકારતા હોય તે તો તેમને જ ખબર હોય છે પણ નકારવું તેની આદત હોય છે "

" કૂતરાની પૂછડીને ક્યારેય સીધી કરવાનો પ્રત્યન ના કરાય કારણ કે તમે ગમે તેટલો પ્રયત્ન કરો તો પણ તે વાકી જ રહેવાની છે "




be happy yaar
Blogger Widgets