" જો તમને કોઈ વ્યક્તિ કે બીજી કોઈ બાબત પસંદ હોતી નથી અથવા તો ગમતી હોતી નથી એટલે તમે તેના વિષે કઈ પણ બોલતા નથી.તેના વિષે ન બોલવાથી સારું રહેતું હોય અને તમને ખબર છે કે જો હું તેના વિષે બોલીશ તો કારણવગર માથાકૂટ અને લડાઈ થશે એવું માનીને તમે જેને પસંદ કરતા નથી,તમે જેમનો વિરોધ કરો છો તેના વિષે મૂગું રહેવામાં શાણપણ માનવું જોઈએ.
આમ મારો કહેવાનો અર્થ એ છે કે નાસ્તિક લોકો ધર્મનો વિરોધ કરતા હોય છે,ધર્મને પસંદ કરતા હોતા નથી,તો શા માટે તેવો ધર્મની જ વાતો કરતા હોય છે,શા માટે ધર્મની ટીકા કરતા હોય છે,બધાને ખબર હોય છે તમને ધર્મ ગમતો નથી તો શા માટે તમે ધર્મની વાતો કરતા રહેતા હોવ છુ.જે વસ્તુ ગમતી ના હોય તેના વિષે વાત કરવી નકામી છે તો પણ શા માટે આસ્તિકો નાસ્તિકની અને નાસ્તિકો આસ્તીકોની નિંદા કરતા રહેતા હોય છે "
" તમને જે ગમે છે તેની વાત કરવાને બદલે લોકો શા માટે જે નથી ગમતું તેની વાત વધુ કરતા હોય છે,તમારા માટે શેની વાત કરવી જરૂરી છે,ગમતું હોય તેની કે ન ગમતું હોય તેની ..................
be happy yaar