-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

બુધવાર, 30 સપ્ટેમ્બર, 2015

મારા વિચારો

'' દરેક લોકો માટે ભગવાન સર્વ-શક્તિમાન અને સર્વોચ્ચ હોતા નથી કેટલાક લોકો માટે તેના મમ્મી-પાપા પણ સર્વ-શક્તિમાન અને સર્વોચ્ચ હોય છે,કારણ કે માતાના ઉદરમાંથી ભગવાનનો જન્મ થાય છે ક્યારેક ભગવાન માંથી માતાનો જન્મ થતો નથી "


be happy yaar

મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2015

મારી પાસે-તેની પાસે



મારી પાસે બધું છે છતાં હું સુખી નથી,

તેની પાસે કઈ નથી એટલે તે દુખી છે

મારી પાસે કુટુંબ છે છતાં હું સુખી નથી

તેની પાસે કુટુંબ નથી એટલે તે દુખી છે

મારી પાસે મમ્મી-પાપા,ભાઈ-બહેન છે છતાં હું સુખી નથી

તેની પાસે તેના કહી શકાય તેવા કોઈ નથી એટલે તે દુખી છે

મારી પાસે  સારું ઘર અને નોકરી છે છતાં હું સુખી નથી

તેની પાસે નથી નોકરી કે ઘર એટલે તે દુખી છે

મારી પાસે પૈસા.ગાડી.બંગલા બધું છે છતાં હું સુખી નથી

તેની પાસે પૈસા.ગાડી,બંગલા કે એવું કઈ નથી એટલે તે દુખી છે

મારી પાસે બધું હોવા છતાં હું સુખી નથી અને

તેની પાસે કઈ નથી એટલે તે દુખી છે




BE HAPPY YAAR

શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2015

મારા વિચારો



" ભગવાન છે એટલે આ દુનિયામાં બધું છે કે પછી ભગવાન નથી એટલે આ દુનિયામાં બધું છે "




be happy yaar

બુધવાર, 23 સપ્ટેમ્બર, 2015

મારા વિચારો,



" ધર્મ જે શીખવતું નથી તે લોકો ઝડપથી શીખી જતા હોય છે અને ધર્મને જે શીખવવાનું હોય છે તે માણસ મૃત્યુ પામે ત્યાં સુધી શીખી શકતો નથી "




" એક પ્રશ્ન : " આસ્તિક લોકોથી સમાજમાં શાંતિ.ભાઈ-સારો અને સદભાવના જળવાય રહે છે કે નાસ્તિક લોકોથી."







" ધર્મને માનવો કે ન માનવો તે આપણી અંગત વાત છે પણ ભગવાનને કોઈની મદદ કરવી તે પણ તેની અંગત વાત હોઈ શકે છે યાર "




be happy yaar

શનિવાર, 19 સપ્ટેમ્બર, 2015

મારા કાવ્યો,



" દોસ્તો ફરી એક સામાન્ય કાવ્ય તમારા માટે ( જો કે આ કાવ્ય કહેવાય કે બીજું કઈ તેની મને બહુ ખબર નથી એટલે હું તેને કાવ્યનું નામ આપું છું "

અત્યારે હું કોના વખાણ કરું કારણ કે,

પાકિસ્તનમાં આંતકવાદીઓ હુમલાઓ કરે છે અને

ભારતમાં કોમી-હુલ્લડ થાય છે.

અત્યારે હું...............

પાકિસ્તાન આંતકવાદીઓને પોષે છે અને

ભારત અનામતને પોષે છે....

અત્યારે હું,,,,,,,,,,,,,,,,,

પાકિસ્તાનમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે અને

ભારતમાં નિર્દોષ બકરીનો-લોકોનો ભોગ લેવાય છે,

અત્યારે હું,,,,,,,,,,,,,,,

મહમદ જીણાના દેશમાં હથિયારોની હેરાફેરી થાય છે અને

ગાંધીના દેશમાં દારૂ અને બ્લેક મનીની હેરાફેરી થાય છે

અત્યારે હું...................

પાકિસ્તાનની સરકાર મીલીટરી ના હાથમાં છે અને

ભારતની મીલીટરી સરકારની હાથમાં છે

અત્યારે હું કોના વખાણ કરું


be happy yaar

શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2015

મારા વિચારો,



" કુતરું ક્યારે ઘોડો ન બની શકે,બકરી ક્યારેય શિયાળ ન બની શકે,હાથી ક્યારેય દીપડો ન બની શકે,આ બધા પ્રાણીઓ જેમ જન્મે તેમ જ જીવે છે અને તેમ જ મૃત્યુ પામે છે પણ મનુષ્ય જાત જ એક એવી છે જે જન્મે છે માનવ તરીકે પણ તેવો જીવે છે સજ્જન તરીકે અથવા તો દુર્જન તરીકે,દાનવ તરીકે અથવા તો માનવ તરીકે,વિલન તરીકે અથવા તો હીરો તરીકે,આ મનુષ્ય જાત માટે પ્રગતી ની વાત કહેવાય કે અધોગતિ ની તે કહેવું બહુ મુશ્કેલ છે yaar....







" આ દુનિયામાં ભલે અગણિત માનવનો જન્મ થયો હોય પણ કેટલાક નસીબદાર હોય તેવો જ માણસ તરીકે જન્મે છે,જીવે છે અને મૃત્યુ પામે છે "








be happy yaar

સોમવાર, 14 સપ્ટેમ્બર, 2015

મારા વિચારો,



" સામાન્ય પ્રજાને બધા લુંટવાનો જ ધંધો કરતા હોય એમ લાગે છે.રાજકારણી લોકો પ્રજા માટે જે સહાય આવે તે ભ્રસ્તચાર કરીને લુટી લેતા હોય છે.અને અમુક દંભી સાધુ-સંતો પ્રજાની મહેનતની કમાણીને ધર્મનો ઉપયોગ કરીને લુટી લેતા હોય છે.બીજું બાજુ અમુક ડોક્ટર પણ હવે તો બીમાર પ્રજા સારી થાય કે ના થાય પણ પોતાના પૈસા સારા થાય એવું માનીને લુટી રહી છે,આ દુનિયામાં દાતાર લોકો કરતા લુટારા લોકો વધુ રહે છે,માટે સાવધાન રહેવું બાકી તમે પણ લુટાય જશો "



" દરોજ મંદિરે જવાથી કે દરોજ ભગવાનનું નામ લેવાથી દરેક વ્યક્તિને જીવનમાં હમેશ માટે સુખ-શાંતિ જ રહેશે એવું કોણ કહી શકે છે,તેની ગેરંટી કોણ આપી શકે "




" અત્યારના જમાનામાં જે વસ્તુ.ભોગ પ્રસાદ અને પૈસા માનવને જરૂર છે તે બધી વસ્તુ લોકો મંદિરને આપી રહ્યા છે,માનવની જરૂરિયાતની વસ્તુ અમુક લોકો માનવને આપવાને બદલે મંદિર માં આપી રહ્યા છે.જો ધાર્મિક બનવું હોય તો અત્યારે મંદિરના ધર્મને છોડીને માનવધર્મ નિભાવો જોઈએ તો જ ધાર્મિક કહેવાય બાકી બધા તો આંધળું અનુકરણ કરતા હોય તેમ લાગે છે "




be happy યાર

શનિવાર, 12 સપ્ટેમ્બર, 2015

મારા વિચારો,



" જ્યાં એક જ ઘરના સભ્યો વચ્ચે માથાકૂટ અથવા લડાઈ થતી હોય ત્યાં પડોસી અથવા તો બીજા કોઈ લોકો ફાવી જતા હોય છે તેમ જ્યાં એક જ ધર્મના લોકો વચ્ચે લડાઈ અને સંધર્ષ થતો હોય ત્યાં બીજા ધર્મના લોકો ફાવી જતા હોય છે,




" લડાઈ અથવા તો સંધર્ષ કરો પણ બીજા અન્યને ખબર પડવી જોઈએ નહી,અથવા તો લડાઈ કરવી જ જોઈએ નહી,કારણ કે લડાઈનો અંત વિનાશ જ છે બીજું કઈ નથી "




" યુદ્ધ ફૂલનું નહી પણ હમેશા કાંટાનું જ વાવેતર કરતું હોય છે "




be happy yaar

શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2015

મારા વિચારો,



" લોકોને જીવ-હિંસાથી નફરત આવે છે.જીવ-હિંસા કરે છે તેના પર પણ તેને નફરત આવે છે પણ પોતાના ધર્મના પ્રતિક સમું કોઈ જીવ પર કોઈ અત્યાચાર કરતા હોય તો જ તેને જીવ-હિંસા પર અને જીવ-હિંસા કરનાર પર બહુ નફરત આવે છે બાકી કોઈ કીડી,મકોડા,બકરી.બળદની હિંસા કરે તો કોઈને કઈ અસર થતી નથી,એટલે કે ત્યારે કોઈને જીવ-હિંસા થાય તેવું દેખાતું નથી વળી આવા નિર્દોષ જીવ પર કોઈ અત્યાચાર કરે તો પણ કોઈને કઈ ફેર પડતો નથી.લોકો સ્વાર્થી હોય છે બહુ................




be happy yaar

બુધવાર, 9 સપ્ટેમ્બર, 2015

મારા વિચારો,



" કોઈ ભક્ત દ્વારા મંદિર માં ધરાવેલો બત્રીસ કે બાવન ભાતનો પ્રસાદ અને કોઈ પૈસદારે બેંકમાં રાખેલા રૂપિયા સમાજના કોઈ વ્યક્તિના કામમાં આવતા નથી,

" શ્રાવણ મહિનામાં ભક્તિ અને જુગાર વાયુવેગે બધાનું ધ્યાન-આકર્ષણ કરતી હોય છે "


be happy yaar

મંગળવાર, 8 સપ્ટેમ્બર, 2015

મારા વિચારો,



" ગર્લ્સ-હોસ્ટેલમાં જાણતા-અજાણતા ગર્લ-ગર્લ વચ્ચે દોસ્તીના અને લેસ્બો સંબંધ વધુ જોવા મળતા હોય છે અને બોય-હોસ્ટેલમાં જાણતા -અજાણતા બોય બોય વચ્ચે મિત્રતાના અને ગે સંબંધો વધુ જોવા મળતા હોય છે




be happy yaar

મારા વિચારો,



" વ્હોત્સ્પમાં કૃષ્ણ વિષે એક મેસેજ વાંચ્યો હતો તે અનુસંધાને ,,,,,,,,,,,,,,,,,,,,,,







" જે લોકો શ્રી કૃષ્ણને ડોન અને ગુનેગાર બનાવી શકતા હોય તે લોકો જન્મ-માસ્તમી તહેવારને જુગારનો તહેવાર પણ બનાવી શકે છે "

be happy yaar

ગુરુવાર, 3 સપ્ટેમ્બર, 2015

મારા વિચારો,






" હું પાટીદાર હોવાથી અનામત ને પસંદ કરું છું અને તમે પાટીદાર ના હોવાથી અનામતનો વિરોધ કરો છો અથવા તો પટેલને અનામત મળે તે તમને પસંદ નથી એટલે તમે વિરોધ કરો છો અથવા તો તમે અનામતમાં હોવાથી વધુ અનામત બીજી કોઈ જ્ઞાતિને ના મળવું એટલે તમે વિરોધ કરતા હોવ છું,કોઇપણ વિરોધ પાછળ કોઈને કોઈને કારણ જરૂર હોય છે,તે પછી પોતાના ફાયદા માટે હોય અથવા તો સમાજના ફાયદા માટે અથવા તો સરકારના ફાયદા માટે હોય..




" દરેક સરકારી નોકરિયાત અથવા પૈસાદાર લોકો અનામત વાળા હોતા નથી,કેટલાક દશરથ માંજી જેવા હોય છે જે પહાડ ચીરીને પણ રસ્તો બનાવી શકતા હોય છે અને કેટલાક રસ્તો હોવા છતાં રસ્તા પર ચાલી શકતા હોતા નથી "










be happy yaar

બુધવાર, 2 સપ્ટેમ્બર, 2015

મારા વિચારો,



" બદમાસ,વિલન અને ગુંડા જેવા લોકો પોતાનાથી ડરી રહ્યા નથી એમ માનતા કેટલાક પોલીસ લોકો સામાન્ય પ્રજાના ઘરમાં ખુચીને ડરાવી રહ્યા છે,.

" હવે દેશની સરહદ પર પણ જોખમ રહેલું છે અને દેશની અંદર પણ જોખમ રહેલું છે,સરહદ પર પ્રજા પર આંતકવાદીઓનો ખતરો છે અને દેશની અંદર અમુક પોલીસ લોકોનો ખતરો છે,જે કામ આતકવાદી નથી કરી શકી તે કામ અમુક પોલીસ કરી રહી છે "




" સૌરાષ્ટ્રની રસધાર અને વ્હોત્સ્પ્નમાં પોલીસે નીર્દોસ લોકો પર કરેલો અત્યાચારની કલીપ કોઇપણ માનવીનું લોહી ગરમ કરવા સક્ષમ છે "




be happy yaar
Blogger Widgets