-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

ગુરુવાર, 31 ડિસેમ્બર, 2015

મારા વિચારો,

" દૂધ દેતી ગાય અને પ્રેમ કરતી બાય ને ક્યારેય પોતાનાથી અલગ કરવી જોઈએ નહી "
be happy yaar

બુધવાર, 30 ડિસેમ્બર, 2015

મારા વિચારો,



" જયારે વિધાર્થી હતા અને અભ્યાસ કરતા હતા પણ ત્યારે અભ્યાસ કરવામાં કઈ ધ્યાન આપતા નહોતા એટલા બધા વડીલો કહેતા કે " બેટા.અભ્યાસમાં ધ્યાન રાખ,તો સારી નોકરી મળશે અને સારી નોકરી મળશે એટલે સારી છોકરી પણ મળશે "

તે દિવસે વડીલો તેની રીતે સાચા હતા પણ તે વખતે અમે તો અમારી મજાક -મસ્તી કરવામાં મગ્ન હતા અને જે કોઈ અમારી ભવિષ્યમાં ઉપયોગ હોય તેવી સલાહ આપતા ત્યારે એક કાનેથી સાંભળતા અને બીજા કાનેથી કાઢી નાખતા.


પણ હવે જયારે જેવી તેવી નોકરી કરીએ છીએ ત્યારે એમ થાય છે કે જો સારો અભ્યાસ કર્યો હોય તો સારી નોકરી મળી હોત.પણ હવે શોક કરવાથી કઈ ફાયદો નથી,એટલે જેવું છે તેવું સ્વીકારવામાં શાણપણ સમજીને જિંદગી મસ્ત રીતે જીવીએ છીએ પણ થોડીક તકલીફ સાથે, "

" બ્રેક-કપ થઇ ગયું હોય તેવી ગર્લફ્રેન્ડ અને મજાક-મસ્તી થી કરેલો અભ્યાસ ક્યારેક ક્યારેક બહુ યાદ આવતી હોય છે "

be happy yaar

મંગળવાર, 29 ડિસેમ્બર, 2015

મારા વિચારો,



" આ દુનિયામાં જેમ ભગવાનને પ્રેમ કરવા વાળા લોકો રહે છે તેમ ભગવાનને નફરત કરવા વાળા લોકો પણ રહેતા હોય છે

આ દુનિયામાં જેમ ભગવાનના ભક્તોના દુશ્મનો રહેતા હોય છે તેમ ભગવાનને દુશ્મન માનનારા લોકો પણ રહેતા હોય છે

આ દુનિયામાં જેમ ભગવાનનું અસ્તિવ સ્વીકારનારા રહે છે તેમ ભગવાનનું કોઈ નામો-નિશાન નથી તેવું માનનારા લોકો પણ રહે છે"




તમે ક્યાં પ્રકારના લોકોમાં આવો છે તે તો તમને ખબર જ હશે







be happy yaar

સોમવાર, 28 ડિસેમ્બર, 2015

મારા વિચારો,



" દરેક વખત માણસની જિંદગી મંદિરમાં રહેલા ભગવાન નથી બચાવતા હોતા કેટલીક વખત સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં રહેલા ડોક્ટર પણ બચાવી લેતા હોય છે "




be happy yaar

રવિવાર, 27 ડિસેમ્બર, 2015

મારા વિચારો,



" એક મનમાં ઉદ્ભવેલો પ્રશ્ન "







" પોલીસ ગુનેગાર લોકોને પકડવા માટે હોય છે પણ જયારે પોલીસ જ ગુનેગાર હોય ત્યારે તેને કોણ પકડતી હશે....




ક્યારેક પોલીસ ન સમજાય તેવુ કાર્ય કરતી હોય ત્યારે કહેવાનું મન થાય કે




" પોલીસ પ્રજાના રક્ષણ માટે હોય છે કે ભક્ષણ માટે

પોલીસ પ્રજાના બચાવવા માટે હોય છે કે ફસાવવા માટે

પોલીસ પ્રજાને સુખી કરવા માટે હોય છે કે દુખી કરવા માટે










be happy yaar

શનિવાર, 26 ડિસેમ્બર, 2015

મારા વિચારો,

         

" ક્યારેક એવું પણ બનતું હોય છે તમે કોઈ ધર્મ વિષે આડી-અવળી અને લોકોને ન સમજાય તેવી ટીકા કે ટિપ્પણી કરો તો તે લોકો તમારા પર ક્રોધે ભરાય જતા હોય છે અથવા તમારી સાથે જાણતા-અજાણતા વેરવૃતિ બાંધતા હોય છે પણ તેજ લોકો જયારે કોઈ ધાર્મિક વ્યક્તિ ખરાબ કાર્ય કરે અથવા તો સમાજમાં દાનવ વૃતિ દેખાડે ત્યારે તેના પ્રત્યે તેને એટલો બધો ગુસ્સો કે નફરત નથી આવતી હોતી,




" તમે ધર્મમાં અથવા તો આસ્તિક રહીને ખરાબ બની શકો છો પણ તમે નાસ્તિક બનીને ધર્મને અથવા તો આસ્તિકને ખરાબ ન કહી શકો તેવી લોકોની માન્યતા હોય તેમ લાગે છે "



" ક્ય્રારેક લોકોની એટલી બધી ભક્તિ જોઇને એમ લાગે કે તેને નજીકના ભવિષ્યમાં સ્વર્ગ મળી જશે ?




be happy yaar
 

ગુરુવાર, 24 ડિસેમ્બર, 2015

મારા વિચારો,



" હું ધાર્મિક અને ભગવાનનો ભક્ત હોવાથી મને તો એમ જ લાગે છે કે મૃત્યુ પછી મને જ સ્વર્ગ મળશે અને જીવન દરમિયાન મને કોઈ દુખ.તકલીફ કે હાની નહી થાય અને હમેશા માટે મને જીવનમાં સુખ.શાંતિ અને સમુર્ધી મળતી રહેશે "

be happy yaar

બુધવાર, 23 ડિસેમ્બર, 2015

મારા વિચારો,



" સમાજમાં અમુક એવા પણ ભક્તો અને ધાર્મિક લોકો જોવા મળતા હોય છે જે પોતાની ઘરે રહેલા ભગવાનને ધીકારતા હોય છે અથવા તો હેરાન-પરેશાન કરતા હોય છે અને બહાર મંદિરમાં રહેલા ભગવાનની દરોજ સવાર-સાંજ સેવા પૂજા કરવાનો નિયમ રાખતા હોય "

be happy yaar

મંગળવાર, 22 ડિસેમ્બર, 2015

મારા વિચારો,



      " આવી ફૂલ-ગુલાબી ઠંડીમાં પથ્થરની પ્રતિમામાં રહેલા ભગવાનને પણ ઠંડી લાગતી હશે,એટલે તેના ભક્તો અથવા પુજારી દ્વારા ભગવાનને ગરમ પોષાક પહેરાવવામાં આવતો હશે,પણ જે ભગવાનના દીકરા છે તે ઠંડી થી મરી રહ્યા હશે તેનું કોઈ ભાવ પૂછતું નહી.માણસની ભક્તિ પથ્થર પુરતી છે.બાકી તેને બીજા કોઈ સાથે લેવા દેવા ના હોય તેમ લાગે છે.
      "પથ્થર અને મનુષ્ય એક બીજાનું અભિન્ન અંગ હોય તેમ લાગે છે ,મનુષ્યને લીધે પથ્થરો માટે રાજમહેલ જેવા મંદિરો બને છે અને પથ્થરોને લીધે મનુષ્ય પોતાની જાતને સુખી અને ધાર્મિક સમજે છે "


be happy yaar

રવિવાર, 20 ડિસેમ્બર, 2015

મારા વિચારો,



" જે લોકો મંદિરમાં ભગવાનના અલંકારો ચોરી કરવામાં ભય ના અનુભવતા હોય તેવા લોકો સામાન્ય લોકોના ઘરમાં ચોરી કરવામાં શું ભય અનુભવે ?




" ભગવાનને અલંકારોની અને પૈસાની જરૂર નહી હોય અથવા તો જરૂર પડતી નહી હોય એટલે જ તેવો ચોર લોકોને મંદિરમાં ચોરી કરવા દેતા હશે "




be happy yaa

મંગળવાર, 15 ડિસેમ્બર, 2015

મારા વિચારો,



" સામે વાળાની ટીકા ત્યાં સુધી કરવી જ્યાં સુધી તમે સામે વાળાની ટીકા શાંત સ્વભાવે સહન કરી શકો.







be happy yaar

સોમવાર, 14 ડિસેમ્બર, 2015

એક કાવ્ય



" સામાન્ય લોકોનો ખોરાક વેજ અને નોનવેજ છે
જયારે રાજકારણીનો ખોરાક ખાલી પૈસા જ હોય છે
સામાન્ય લોકોનું પીણું ચા અને દારૂ હોય છે
જયારે રાજકારણીનો પીણું પ્રજાનું પરસેવો-લોહી હોય છે
સામાન્ય લોકો ખેતરમાં અને કંપનીમાં કામ કરતા હોય છે
જયારે રાજકારણીનું કામ ભ્રષ્ટાચાર અને દંગા-ફસાદ કરવાનું હોય છે
સામાન્ય લોકો સાદી અને ગરીબ જિંદગી જીવતા હોય છે
જયારે રાજકારણી સરકાર અને પ્રજાના પૈસા અતિ-આધુનિક જીવન જીવતા
હોય છે
સામાન્ય લોકોના ભગવાન કુદરત અને કૃષ્ણ હોય છે
જયારે રાજકારણીના ભગવાન ખુરશી અને સતા હોય છે "


be happy yaar

ગુરુવાર, 10 ડિસેમ્બર, 2015

મારા વિચારો,



" રાજકીય પક્ષો અને સીમ કાર્ડ આપતી કંપની બન્ને એક જેવી લાગે છે.એમ લાગે કે ભાજપ માંથી કોંગ્રેસમાં જીઈએ કે પછી વોડાફોન માંથી એરટેલમાં જઈએ કે પછી ડોકોમો માંથી બીએસેનલ માં જઈએ,બધે એક જેવું સરખું જ છે "







be happy yaar

બુધવાર, 9 ડિસેમ્બર, 2015

મારા વિચારો,

" મૃત્યુ પહેલા વ્યક્તિ પોતાનો જન્મ દિવસ ઉજવતો હોય છે અને મૃત્યુ પછી પોતાના સ્વજનો મૃત્યુ વરસી ઉજવતા હોય તેમ લાગે છે "

be happy ya
ar

શુક્રવાર, 4 ડિસેમ્બર, 2015

મારા વિચારો,



" જો મંદિરની દરોજ સેવા-પૂજા અને પ્રાથના કરવાથી જીવનમાં સુખ.શાંતિ અને સમૃધી મળતી હોત તો મને લાગે છે દુનિયામાં દરેક સુખ,શાંતિ અને સમૃધી પુજારીઓ જ ભોગવતા હોત "




be happy yaar

ગુરુવાર, 3 ડિસેમ્બર, 2015

મારા વિચારો,



" એવું લાગે છે કે નબળાં અને ખા ખા કરતા લોકો જે દેશના રાજા બન્યા હોય તે દેશના અણસમજુ અને વિચારહીન પ્રજાના મત ની દેણ છે "




" દુશ્મનને હજાર મોકા આપો કે તે તમારો દોસ્ત બની જાય પણ ભ્રષ્ટાચાર રાજકારણીને એક મોકો પણ આપવો જોઈએ નહી નહિતર તે દેશને તો લુટી લેતો હોય છે પણ બીજી વખતમાં તે દેશની પ્રજાને પણ લુટી જાય છે " હહ્હાહા







be happy yaar

મંગળવાર, 1 ડિસેમ્બર, 2015

મારા વિચારો,



" કેરીના ટોપલા માં એક કેરી બગડી જાય તો પૂરો ટોપલો કેરીનો ના ફેકી દેવાય,તેમ ધર્મમાં અમુક લોકો વિધર્મી જેવા કામ કરે તો ધર્મ કઈ તેવા લીધે ના છોડી દેવાય "ટોપલામાની એક કેરી ફેકી દેવી જોઈએ તેના જગ્યાએ અમુક લોકો કેરીનો ટોપલો ફેકી દેતા હોય છે,,

" પવન ( હવા ) દેખાતો નથી એટલે તેનો અર્થ એ તો થતો નથી કે દુનિયામાં પવનનું અસ્તિવ જ નથી "


BE HAPPY YAAR
Blogger Widgets