-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

શનિવાર, 28 ફેબ્રુઆરી, 2015

" આ દેશમાં "

આ દેશમાં હવે બીજા ગાંધીજી ના જન્મે કારણ કે
આ દેશમાં હવે ફેસબુક આવી ગયું છે
આ દેશમાં હવે વ્હોત્સ્પ આવી ગયું છે
આ દેશમાં હવે વિ-ચેટ આવી ગયું છે
આ દેશમાં હવે લાઈન આવી ગયું છે
આ દેશમાં હવે બીજા વિવેકાનંદ ના જન્મે કારણ કે
આ દેશમાં હવે ફેસબુક આવી ગયું છે
આ દેશમાં હવે વ્હોત્સ્પ આવી ગયું છે
આ દેશમાં હવે વિ-ચેટ આવી ગયું છે
આ દેશમાં હવે લાઈન આવી ગયું છે
આ દેશમાં હવે બીજા સરદાર પટેલ ના જન્મે કારણ કે
આ દેશમાં હવે ફેસબુક આવી ગયું છે
આ દેશમાં હવે ફેસબુક આવી ગયું છે
આ દેશમાં હવે વ્હોત્સ્પ આવી ગયું છે
આ દેશમાં હવે વિ-ચેટ આવી ગયું છે
આ દેશમાં હવે લાઈન આવી ગયું છે
આ દેશમાં હવે બીજા બાબા આંબેડકર ના જન્મે કારણ કે
આ દેશમાં હવે ફેસબુક આવી ગયું છે
આ દેશમાં હવે વ્હોત્સ્પ આવી ગયું છે
આ દેશમાં હવે વિ-ચેટ આવી ગયું છે
આ દેશમાં હવે લાઈન આવી ગયું છે
આ દેશમાં હવે બીજા સુભાષ ચંદ્ર બોઝ ના જન્મે કારણ કે
આ દેશમાં હવે ફેસબુક આવી ગયું છે
આ દેશમાં હવે ફેસબુક આવી ગયું છે
આ દેશમાં હવે વ્હોત્સ્પ આવી ગયું છે
આ દેશમાં હવે વિ-ચેટ આવી ગયું છે
આ દેશમાં હવે લાઈન આવી ગયું છે
આ દેશમાં હવે બીજા મહાન લોકો ના જન્મે કારણ કે
આ દેશને પાયમાલ કરવાવાળા ધણા કારણો છે
be happy yar

શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2015

મારા વિચારો

"ભગવાનને પણ ખબર છે કે માણસજાત લાંચ લીધા વગર
કામ કરતી નથી એટલે તો તેણે પણ પોતાના દરેક
ધર્મ-પુસ્તકને અંતે તમે જો આ ધર્મપુસ્તકનું વાંચન,
મનન અને શ્રવણ કરશો તો તમને જીવનમાં સુખ-શાંતિ
અને સમૃદ્ધિ  મળશે તેવું કહેવું પડ્યું છે "

be happy yar

ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2015

મારા વિચારો

" દુનિયામાં દરેક જન્મતા વ્યક્તિ કોઈને કોઈનું  ખૂન
કરવા જ જન્મતા હોય છે.પછી તે ખૂન કોઈ પશુ-પક્ષીઓનું હોય
કે પછી કોઈ પ્રાણીનું હોય અથવા કોઈ માનવ યા દાનવનું પણ હોઈ શકે
છે.અને તે ખૂન સાચું પણ હોય અને ખોટું પણ હોઈ શકે છે,માણસ નહી પણ
ભગવાન પણ ધરતી પર જન્મે છે ત્યારે તે પણ ખૂન કરે છે,,,,,,,,,,,,,
 BE HAPPY YAR

બુધવાર, 25 ફેબ્રુઆરી, 2015

“ માણસ અને રાક્ષસ “

                   આજ મારે માણસ અને રાક્ષસની વાત કરવી છે,માણસ અને રાક્ષસમાં શું શું તફાવત છે અને શું શું સરખું છે તેની આજે મારે થોડીક વાત કરવી છે,
           એક વાત સમજી લ્યો કે : :  માણસ ગમે તેટલો સારો હોવા છતાં.દુનિયામાં તેની આબરૂ સારી હોવા છતાં  તે પોતાની પૂરી જિંદગી ભગવાનની ભક્તિ કરે છતાં તે ભગવાનના દર્શન કરી શકતો નથી અને રાક્ષસ ગમે તેટલો ખરાબ હોવા છતાં અને દુનિયામાં તેની આબરૂ પણ કઈ નહી હોવા છતાં તે પોતાની જિંદગીમાં ભગવાનના દર્શન ધણી વખર કરી શકે છે,તો પર્શ્ન એ થાય કે ભગવાનના દર્શન કરે તે વ્યક્તિ સારો કહેવાય કે ભગવાનના દર્શન ના કરે તે વ્યક્તિ સારો કહેવાય.
                 મારા મતે એમ લાગે છે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં ભગવાનના દર્શન કરી શકે છે તે વ્યક્તિ મહાન ગણાય છે,ભલે પછી તે માણસ હોય કે રાક્ષસ.
                 હવે પહેલા જમાનામાં રાક્ષસ શું કરતા હતા તેના વિષે થોડુક લખીએ, પહેલાના જમાનામાં રાક્ષસો બધાને હેરાન કરતા,ખાસ કરીને જે સાધુ-સંતો ભગવાનની ભક્તિ કરતા હોય તેની સાથે બહુ ખરાબ વ્યવહાર કરતા અથવા તો તેના હવનકુંડમાં માસ-હાડકા નાખીને તે યજ્ઞકુંડને અપવિત્ર કરી નાખતા.બીજું કે રાક્ષસ લોકો બીજાની સુંદર સ્ત્રીઓ હોય તેને બળજબરીથી સ્ત્રીને તેની સાથે ન આવવું હોય તો પણ તેનું અપહરણ કરી જતા,સમાજનું અને સમાજના લોકોનું નુકશાન કરવાનું રાક્ષસ લોકો ક્યારેય બાકી રાખતા નહી,રાક્ષસ લોકો જેવા દેખાવમાં ખરાબ હોય છે તેવા જ તેવો ખરાબ કાર્યો કરતા હોય છે,રાક્ષસ લોકો મદિરાપાન અને સ્ત્રી સંભોગ કરવામાં બહુ વ્યસ્ત રહેતા વળી તેવો અભિમાની પણ બહુ હતા,આવા પ્રકારના રાક્ષસો હતા પહેલા ના જમાનામાં.
           હવે આપણે અત્યારના જમાનાના લોકોની વાત કરીએ કે જેથી ખબર પડે કે પહેલાના જમાનામાં રાક્ષસ હતા તે સારા હતા કે અત્યારના જમાનામાં લોકો છે તે સારા છે,
          રાક્ષસ લોકોની જેમ જોકે આજના અમુક લોકો પણ મદિરાપાન અને સ્ત્રી સંભોગ કરવામાં વ્યસ્ત રહેતા હોય છે,પહેલાના જમાનામાં રાક્ષસ લોકો જેમ સ્ત્રીઓની બળજબરી પૂર્વક અપહરણ કરતા તેમ અત્યારના જમાના પણ અમુક લોકો સ્ત્રીઓ ની બળજબરીપૂર્વક અપહરણ કરે છે,અમુક લોકો રાક્ષસની જે લોકો ભગવાનની ખરા-દિલથી ભક્તિ કરતા હોય તેને દંભી કહીને બદનામ કરતા હોય છે,અત્યારના લોકો પણ રાક્ષસ જેટલા જ અભિમાની છે,રાક્ષસમાં જે અવગુણો હતા તે બધા અવગુણો અત્યારના લોકોમાં જોવા મળે છે,રાક્ષસ લોકો દેખાવમાં ભલે ખરાબ હતા પણ આજના લોકો દેખાવમાં બહુ સુંદર છે છતાં તેવો સારા કામ કરવાને બદલે ખરાબ કામ કરવામાં વધુ વ્યસ્ત રહેતા હોય છે,રાક્ષસ જે ન કરતા તે પણ માનવ કરે છે જયારે આપણે અમુક તમુક ધટના વાંચીએ ત્યારે ખબર પડે કે આ માણસ છે કે રાક્ષસના પણ બાપ છે.
          તમે રાક્ષસ વિષે ધણું વાંચન કર્યું છે પણ ક્યારેય એવું વાંચન કર્યું છે કોઈ એક રાક્ષસે કોઈ નાની બાળકી ને અડપલા કર્યા હોય અથવા તો તેની સાથે જબરદસ્તી પૂર્વક ચોકલેટ ખવરાવીને શારીરિક સંબધ બાંધ્યો હોય અથવા તો તેની સાથે બળાત્કાર કર્યો હોય.આવું આજના  અમુક માણસો કરે છે.
          તમે ક્યારેય એવું જોયું છે,રાક્ષસો ખરાબ હોવા છતાં અને સંપતી ધણી હોવા છતાં તેવો ભાઈઓ-ભાઈઓ વચ્ચે જમીનને લીધે,અથવા તો કોઈ સંપતી ને લીધે અથવા તો કોઈ સ્ત્રીને લીધે ખૂન-ખરાબા થયા હોય. આવું આજના  અમુક માણસો કરે છે.
          તમે ક્યારેય સાંભળ્યું છે કે રાક્ષસ લોકોના લગ્ન થઇ જાય અથવા તો તે પૈસાદાર બની જાય એટલે તેવો પોતાના મમ્મી-પાપાને વૃદ્ધ-ધરમાં મોકલી આપે. આવું આજના  અમુક માણસો કરે છે.
          તમે ક્યારેય સાંભળ્યું છે કે રાક્ષસ લોકો પોતાની પ્રેમિકાને પામવા બીજાનું પણ ખૂન કરી દેતા હોય છે. આવું આજના  અમુક માણસો કરે છે.
          તમે ક્યારેય સાંભળ્યું છે કે પૈસાને માટે અથવા તો કોઈ સતા માટે રાક્ષસ પોતાની જાતને વહેચી નાખે અથવા તો પોતાના હોય તેનું નુકશાન કરી બેસે અથવા તો ખૂન પણ કરી છે. આવું આજના  અમુક માણસો કરે છે.
          તમે તમારા મનમાં ઊંડો વિચાર કરશો ત્યારે ખબર પડશે કે પહેલા રાક્ષસ હતા તેવો લોકો ખરાબ હતા કે અત્યારના જે લોકો સારા દેખાય છે તે ખરાબ છે. રાક્ષસ અને માનવ વચ્ચે ધણા તફાવત છે પણ મેં તમને તેમાંથી તમને આટલા જ કહ્યા છે.પણ એક વાત તમને ખબર હશે કે ભગવાન એવા લોકોને જ દર્શન આપે છે જે ભગવાન ભક્ત હોય બાકી તો બધાને ભગવાનની મૂર્તિના દર્શન કરીને જ સંતોષ માનવો પડે છે.હવે વધુ કઈ લખતો નથી આટલું લખીને હું મારું લખાણ બંધ કરું છું.અંતમાં

“ રાક્ષસ લોકો ખરાબ છે તેનો અર્થ એ નથી કે તે માણસથી પણ વધુ ખરાબ છે.જે રાક્ષસ લોકો નથી કરી શકતા તે બધું અત્યારના માણશો કરવા લાગ્યા છે,એટલે જ અત્યારે ધરતી પર સ્વર્ગ ના બને પણ નર્ક બને તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

BE HAPPY YAAR

મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2015

મારા વિચારો

" જો ધાર્મિક બનવાથી અને ધર્મમાં માનવાથી જ બધાને સ્વર્ગ મળતું હોય
તો મને લાગે છે ધરતી પર રહેલા બધા અબોલ પ્રાણી.પક્ષીઓ અને પંખીઓ
જરૂર નરકમાં જશે કારણ કે તેવો તો કોઈ ધર્મ પાળતા હોતા નથી "
BE HAPPY YAR 

સોમવાર, 23 ફેબ્રુઆરી, 2015

" મને એ નથી સમજાતું "


( એક ગુજરાતી કવિતાની રીમીક્સ કરેલી મારી કવિતા )

મને એ નથી સમજાતું કે આમ-કેમ થાય છે
પથ્થરો પૂજાય છે અનેસજ્જનો ઠોકર ખાય છે
વ્યવહાર  રાખે છે સ્વાર્થી  અને સંબંધો તોડે છે શંકાથી
                   મને એ નથી સમજાતું ,,,,,,,,,,
ભગવા લોકો ભવાઈ કરે છે,સજા મળે છે ધર્મો ને
લુટે છે બધું રાજકારણી,નામ આવે છે બધા ચોર નું
                   મને એ નથી સમજાતું,,,,,,,
ભૂખ્યા વંચિત રહે છે અને મંદિરોમાં બત્રીસ ઢાળ ધરાય છે  
ધર્મ નો  આશરો લઈને લાખો લોકો કમાય છે  
                  મને એ નથી સમજાતું,,,,,,,,
જ્ઞાની રહે છે જેલમાં અજ્ઞાની બને છે રાહબર  
પ્રેમ રહે છે અપેક્ષામાં અને વિશ્વાસની લીલામી થાય છે
 મને એ નથી સમજાતું કે આમ-કેમ થાય છે

BE HAPPY YAAR

રવિવાર, 22 ફેબ્રુઆરી, 2015

મારા વિચારો

" આમ તો મને આપણા બધા માં અને આંતકવાદી માં કઈ બહુ તફાવત લાગતો
  નથી કારણ કે આંતકવાદી દુનિયા માં દરોજ કોઈ ના કોઈ દેશ માં હુમલો કરીને 
  માનવજાત નું ખૂન કરતા હોય છે જયારે આપણે પણ દરોજ માનવજાત નું ખૂન 
  કરવાનું બદલે માનવતા નું ખૂન કરતા હોઈ છીએ.....દરેક લોકો આંતકવાદી જેવા
  લાગે છે એક માનવજાત નું ખૂન કરે છે બીજા માનવતા નું ખૂન કરે છે ..................

BE HAPPY YAAR

શનિવાર, 21 ફેબ્રુઆરી, 2015

“ સ્વચ્છતા “

          એક બહુ જાણીતી શાળા હતી.તે જાણીતી એટલા માટે હતી કે તે શાળાના બધા શિક્ષકો સ્વચ્છતાના પ્રખર હિમાયતી હતી, તથા પોતાના બધા વિધાર્થીને પણ વિનંતી કરતા કે જીવનમાંકે બીજી ગમે ત્યાં જગ્યાએ સ્વચ્છતા વધુ રાખવી.શાળાની દરેક દીવાલ પર પણ સ્વચ્છતા વિશેના સુંદર લખાણો લખ્યા હતા.જેમ કે
           
           “ સ્વચ્છતા એજ જીવનની મોટી સુંદરતા છે
           “ સ્વચ્છતા રાખો, તંદુરસ્તી જાળવો
           “ સુખ અને સ્વચ્છતા એક સિક્કાની બે બાજુ છે
          
        બધા શિક્ષકો વર્ગમાં પોતાના વિધાર્થીઓને પહેલા જ સુચના આપતા કે : જ્યાંત્યા ગંદકી કરવી નહી તથા કચરો પણ ફેકવો નહી અને જ્યાં ગંદકી હોય ત્યાંથી હમેશા માટે દુર જ રહેવું. પણ જયારે કોઈ પિતા તેના બાળકને શાળામાં મુકવા આવતા ત્યારે તેવો પોતાના ચહેરા પર દુર્ગંધ ન આવે એટલે રૂમાલ બાંધી રાખતા કારણ કે શાળાની આજુબાજુમાં એટલી બધી ગંદકી અને કચરો હતો તેની દુર્ગધથી રૂમાલ ન બાંધેલો માણસ ત્યાજ બેભાન થઇને ઠળી પડતા..

BE HAPPY YAAR

શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2015

અન્ય સાહિત્ય

" લલચામણી ઓફરો ફ્ક્ર્ત દુકાનદારો અને શોપિંગમોલ વાળા જ નથી આપતા પણ

જે દંભી અને ખોટા બાવા બન્યા છે તે પણ આપતા હોય છે, તમે આ કરશો તો તમારા

બધા દુખો દુર થશે. જો એમ કહેલા બધાના શબ્દો સાચા પડતા હોત દુનિયામાં કોઈ દુખી રહેત નહી.

કાચ કોઈના સત્ય કે અસત્ય આશીર્વાદ પણ કામ લાગતા હોત તો દુનિયા વગર ભગવાને

સ્વર્ગ બની જાત..........પણ એવું કઈ થતું નથી અને જો થાત તો લોકો પણ જીવનમાં બધાના દુખ દુર

થાય તેવા આશીર્વાદ ના આપે પણ બધાને દુખ આવે તેવા આશીર્વાદ આપે.કારણ કે આમતો માણસ

છીએને આપણે

" સારું કરી શકતા નથી અને સારું કોઈનું જોઈ શકતા નથી,આવા પ્રકારનો અમુક અથવા તો

મોટાભાગના લોકોનો સ્વભાવ હોય છે,
be happy yaar

મારા વિચારો

" પાચ વર્ષ સુધી સમાજ માટે નિર્જીવ,બીમાર,અદ્રશ્ય રહેલા લોકો 
   ચુંટણી સમયે આપણી સામે સજીવ.તંદુરસ્ત અને પ્રત્યક્ષ થાય એ 
   આપણા જેવા સમાજના લોકો માટે મોટામાં મોટી ખુશી અને આનંદની 
   વાત કહેવાય

BE HAPPY YAAR

ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2015

" હે બકા " ( મારો બકો )

( હું મારા મોટાભાગના મિત્રો ને બકા કહીને જ બોલાવું છે તો આજે તેના 
માટે એક રમુજી કાવ્ય હહ્હાહાહ )

હે બકા, તારે જો કરવા હોય તો હવે ઓચિકા ના કવર કરી શકે
કારણ કે જિંદગી માં તે જે ગુમાવ્યું છે તે કવર નહી કરે શકે ,
હે બકા , તારે હવે પ્રેમ કરવો હોય તો પથ્થર ને કર કારણ કે
માનવજાત પર હવે તને વિશ્વાસ અને શ્રધ્ધા રહી નથી,
હે બકા, હવે તારે સેવા કરવી હોય તારી કર કારણ કે
હવે તું માં-બાપ ની સેવા કરવા માટે સમય આપી શકીશ નહી
હે બકા,તારે ધાર્મિક બનવું હોય તો તું હિન્દુ મુસ્લિમ બની જા
કારણ કે તું માનવતા નો ધર્મ નહી નિભાવી શકીશ
હે બકા તારે રહેવું હોય તો હવે તું કોઈ ઘર કે મહેલ માં રહે
કારણ કે હદય માં રહે તેવા તારી પાસે એકપણ ગુણ નથી
હે બકા, તને જો બદલવાનું મન થતું હોય તો સબંધો-ચહેરા બદલ
કારણ કે જીવન બદલવા માટે હવે તારી પાસે સમય નથી
હે બકા, હવે જો તને સ્મિત આપવાનું મન થતું હોય તો આપ
નહિતર આટલું વાંચીને કઈક સમજવા નો પ્રયત્ન કરજે..

BE HAPPY YAAR

મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2015

“ હોશિયાર “

            એક ખાનગી શાળાના આચાર્યએ જાહેરાત કરી હતી અમારા શાળામાં જે પણ કોઈ નબળો વિધાર્થી પ્રવેશ લે છે તેને અમે એક વર્ષમાં હોશિયાર બનાવી આપીશું.તે ગમેતેવો હોય તો પણ અમે અમારી પૂરી મહેનતથી તે બાળકને નબળોમાંથી સબળ અને જ્ઞાની બનાવી નાખીશું.કોઇપણ વિધાર્થી ભવીશ્યમાં ક્યાય પણ પાછો ન પડે તે અમારી ગેરેંટી છે.            જાહેરાતની જોરદાર અસર થઇ ગઈ હોય તેમ શાળામાં વિધાર્થીની સંખ્યામાં પણ જોરદાર વધારો આવ્યો હતો.જે પણ વિધાર્થીના વાલીઓ આવતા તેને આચાર્ય વચન આપતા કે અમે જરૂર તમારો દીકરાને હોશિયાર,ચાલાક અને ચબરાક બનાવી આપીશું.           આચાર્યની વાત પર વિશ્વાસ મુકીને બધા વાલીઓ હસતા હસતા ઘરે જતા અને ગર્વ લેતા કે મારો દીકરો હવે જરૂર હોશિયાર થઇ જશે.પણ એક વાલીએ જતા જતા આચાર્યને સામે પ્રશ્ન કર્યો કે : સાહેબ પેલો તમારો નબળો અને નાપાસ થયેલો દીકરો ક્યાં અભ્યાસ કરે છે                                                                                                         તેને તો મેં એક મોટી શાળામાં મુક્યો છે આચાર્યએ હસતા હસતા જવાબ આપ્યો.

be happy yarrrrrrrrrrrrr

સોમવાર, 16 ફેબ્રુઆરી, 2015

માતા-પિતાની છત્રછાયા

         “ એક મોટો એવો બંગલો હતો અને તે બંગલાની આગળ બધા લખે તેમ 
 માતા-પિતાની છત્રછાયા નામનું દરવાજા આગળ બોર્ડ મારેલું હતું,માતા-પિતાની
 છત્રછાયા વાળા તે બંગલામાં એક માણશ આવ્યો અને તે બંગલાની અંદર જે હાજર
યુવાન હતો તેને કહેવા લાગ્યો : “ જેના ઘરમાં વૃદ્ધ માતા-પિતા હોય તેના માટે અમે 
એક ખાસ કાર્યકમ રાખ્યો છો, તો તે કાર્યકમમાં હાજરી આપે તે માટે હું તમારા માતા-પિતાને 
રૂબરૂ મળવા આવ્યો છું,તેવો ક્યાં છે “
“ તમારી લાગણી હું સમજી ગયો પણ માફ કરજો તે હવે અહી રહેવાને બદલે વૃદ્ધાશ્રમમાં રહે છે,
મારી પત્નીને તે જરાય ગમતા નહોતા એટલે “ હાજર રહેલા યુવાન દીકરા જવાબ આપ્યો.


BE HAPPY YAAR

રવિવાર, 15 ફેબ્રુઆરી, 2015

અન્ય સાહિત્ય

          " માતાઓ ભગવાન કરતા પણ મહાન છે છતાં તેની હાલત જ અત્યારે સૌથી કરુણ
 અને દુઃખદાયક છે,ગાયમાતાને રસ્તામાં રખડવું ભટકવું પડે છે ને જન્મ આપનાર
 માતાઓને વૃધાશ્રમમાં જવું પડે છે "
 આપણે હિંદુ લોકોએ જેને પણ માતા કહીએ છીએ તેની હાલત અત્યારે કેવી છે તે 
 તમે તમારી નજરોથી જોઈ શકો છો.આપણી માતાઓ

શનિવાર, 14 ફેબ્રુઆરી, 2015

વેલેન્ટાઇન

" આવી ગયો .આવી ગયો એ વેલેન્ટાઇન
  કે જે વેલેન્ટાઇન ને હું દરોજ ભૂલવાની કોશિશ કરું છું
  આજ તેજ વેલેન્ટાઇન મારી નજર સમક્ષ આવી ગયો 
  જે વેલેન્ટાઇન બધાયના પ્રેમનું નિમિત બનતો
  તેજ વેલેન્ટાઇન મારા પર નફરતનું કારણ બન્યું
  જે વેલેન્ટાઇન બધાના પ્રેમની શરૂઆત કરતો હોય
  તેજ વેલેન્ટાઇનને મારા પ્રેમનો કરુણ અંત લાવ્યો હતો
  જે વેલેન્ટાઇનના દિવસે લોકો પ્રેમને સફળ બનાવતા હોય
  તેજ વેલેન્ટાઇનના દિવસે મારો પ્રેમ નિષ્ફળ ગયો હતો
  જે વેલેન્ટાઇન ના દિવસ એક-બીજાના હદય નજીક આવે
  તેજ વેલેન્ટાઇનના દિવસ મારું હદય કોઈકથી દુર અને તૂટ્યું હતું.
  આ એવો વેલેન્ટાઇન દિવસ છે જે પ્રેમમાટે ઓળખાય છે
  પણ મારા માટે આ વેલેન્ટાઇન નફરત તરીકે ઓળખાય છે,,


" વેલેન્ટાઇન દિવસે બધા માટે પ્રેમના દિવસ તરીકે ઓળખાય છે 
  જયારે મારા માટે નફરત અને દિલ તોડનાર દિવસ તરીકે ઓળખાય છે.



  BE HAPPY YAAR

અન્ય સાહિત્ય

              એક સખી તેની બીજી સખીને કહેતી હતી " અલી તું તડકામાં વાત ના કર,નહિતર તારો
 પતિ તને કહેશે કે તું કાળી થઇ ગઈ "
              બીજી સખીએ જવાબ આપ્યો "તે મારા રૂપ-રંગને પ્રેમ નથી કરતો પણ તે મારા અસ્તિત્વ ને પ્રેમ કરે છે "
બીજી સખીનો જવાબ સાંભળી પેલી સખી આટલું જ બોલી શકી " હે "
" પ્રેમ ક્યારેય શરીર સાથે ના હોઈ શકે,પ્રેમ તો ફક્ત પવિત્ર હદય સાથે થઇ શકે છે,શરીર સાથે 
 થાય તે પ્રેમ ના કહેવાય તે તો ફક્ત વાસના જ કહેવાય "

શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2015

” હું અને પથ્થર ”

” હું  પથ્થરને જેવો પ્રેમ કરું છું તેવો પ્રેમ માણસને કરતો  નથી
  હું જેવી સેવા પથ્થરની કરું છું તેવી સેવા માણસને કરતો  નથી
  હું જેટલું પથ્થર માટે બલીદાન આપું તેટલું બલિદાન માણસ માટે આપતો નથી
  હું જેટલું પથ્થર માટે દાન કરું છું તેટલું દાન કોઈ ગરીબને આપતો નથી
  હું જેટલા પથ્થર માટે મંદિર બનાવું છે તેટલા ઝુપડા ગરીબો માટે બનાવતો નથી

ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2015

મારા વિચારો

ક્યારેક એમ લાગે છે કે ભક્તોની જેમ ભગવાન પણ ભેદભાવ રાખતા હોય છે
ગરીબ વધુ મહેનત કરે છે તો તેને અમીર નથી બનાવતા અને
અમીર વધુ જલસો કરે તો તેને ગરીબ નથી બનાવતા 
સારા લોકો પુણ્ય કરે છે તો તેને સુખી નથી કરતા અને
ખરાબ લોકો પાપ કરે છે તો તેને દુખી નથી કરતા.
be happy yarrrrrrrrrrrrrrrrr

બુધવાર, 11 ફેબ્રુઆરી, 2015

મારા વિચારો



" લોકો વાંચન કરવામાં અને લેખન કરવામાં જ બહુ હોશિયાર છે.

પણ સત્ય બોલવામાં અને કોઈનું સારું કરવામાં ધણા બેદરકાર અને

બેજવાબદાર છે,

BE HAPPY YAAR

મારું કટાક્ષ સાહિત્ય

           "   ખરાબ,ગંદુ અને ભ્રષ્ટાચારી રાજકારણ માટે સમાજ જ જવાબદાર હોય એમ લાગે છે,કારણ કે કોઈ 
   રાજકારણી પરગ્રહવાસી નથી પણ આપણા સમાજનો કોઈક વ્યક્તિ છે,જે રાજકારણમાં સમાજનો લોકો
   દ્વારા જીતાડવામાં આવે છે અને તેને રાજકારણનો રંગ ચખાડે છે.જો વ્યક્તિ રાજકારણમાં જઈને ખરાબ
   થઇ જાય તો સમાજ તેને કઈ કરી શકતો નથી પણ જો તે સારો હોય તો તેના વખાણ કરવામાં થાકતો નથી.
   
           " સમાજ પાસે આપવા લાગ્ય ફક્ત કિમંતી મત છે,
             બાકી બધું તો રાજકારણી પાસે છે ".

મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2015

અન્ય સાહિત્ય

          "તમે ધણી વખત સાંભળ્યું હશે,અથવા તો વાંચન કરેલું હશે અથવા તો બોલ્યું પણ હશે કે 
 પથ્થરને પ્રેમ કરવાથી પથ્થર પણ ઓગળી જતો હોય છે તો માણસને પ્રેમ કરવાથી માણસ 
  તો ઓગળી જ જાય ને,પીગળી જાય ને. .

સોમવાર, 9 ફેબ્રુઆરી, 2015

મારા વિચારો

" હે ભગવાન જો તે અમને તારા વધુ મંદિરો બનાવવાનું કહ્યું ના હોત તો 
  અમે ધણા ગરીબોના મકાનો બનાવ્યા હોત અને મંદિરનું પુણ્ય મકાનો 

મારા વિચારો

" જીવનમાં ક્યારેય વધુ પડતું વફાદાર ના બનાય કારણ કે નહિતર
  લોકો તમારી ગણતરી કુતરાઓ માં કરશે, કારણ કે લોકોના મનમાં 
  એમ છે કે વફાદાર તો કુતરાઓ જ હોય છે " 

BE HAPPY YAAR

શનિવાર, 7 ફેબ્રુઆરી, 2015

“ હે દોસ્ત મને લાગ્યો ફેસબુકનો રંગ “

હે દોસ્ત મને લાગ્યો ફેસબુકનો રંગ
કોલેજના બાંકડે ભણતા ભણતા અમને લાગ્યો ફેસબુકનો રંગ
શાંત વન-ઉપવનના સાનિધ્યમાં અમે માણ્યો  ફેસબુકનો રંગ
                                              હે દોસ્ત મને.........
મિત્રો-દોસ્તના મોબાઈલમાં અમે પામ્યો ફેસબુકનો રંગ
અંધારી રાતે પથારી પર સુતા અમે પામ્યો ફેસબુકનો રંગ
                                             હે દોસ્ત મને......
દુનિયાના લોકોના નવરાશની પળોમાં અમે બાત્યો ફેસબુકનો રંગ
સાગરના કિનારે કિનારે અમે પીધો ફેસબુકનો રંગ
                                             હે દોસ્ત મને.......
નવરા લોકોના કોમ્પુટરમાં જોયો અમે ફેસબુકનો રંગ
વહાલી ગર્લફેન્ડના મિલનમાં અમે વખાણ્યો ફેસબુકનો રંગ
                                             હે દોસ્ત મને.....
વૃધો-સદી વટાવી ગયેલા લોકોના સમયે અમે જોયો ફેસબુકનો રંગ
પરીક્ષા-કસોટીના દિવસોમાં અમે મુક્યો ફેસબુકનો રંગ
                                             હે દોસ્ત મને........
સમય-સંજોગના સથવારે અમે છલકાવ્યો ફેસબુકનો રંગ
એકલા અમારા જીવનમાં અમે પીધો ખુબ ફેસબુકનો રંગ
હે દોસ્ત મને લાગ્યો ફેસબુકનો રંગ

          BE  HAPPY  YAAR

શુક્રવાર, 6 ફેબ્રુઆરી, 2015

" અમે "

અમે જંગલો નો નાશ કરી,,
વૃક્ષો રોપણ કરવા નીકળિયા છીએ..
અમે મા-બાપ ને તરછોડિ,,
ભગવાન ને ભજવા નીકળિયા છીએ..
અમે ધર્મ-શાસ્ત્રો ભૂલિ,,,
મંદિરો બનાવવા નીકળિયા છીએ..

અમે માનવો ને ઢોકર મારિ,,
પથ્થરો ને પૂજવા નીકળિયા છીએ..
અમે કળિયુઞ ના કામો કરિ,,
ધરતિ પર સ્વર્ગ બનાવવા નીકળિયા છીએ.
અમે દાન, સેવા, ત્યાગ ભૂલિ,,
ચારધામ ની યાત્રા કરવા નીકળિયા છીએ

અમે કુટુંબના લોકો નો ત્યાગ કરી,
કુતરા ને વફાદાર બનાવવા નીકળિયા છીએ..
અમે સંતો-સજ્જનોની ઉપેક્ષા કરી,,
લુખા-આવારા ને ખુશી કરવાનીકળિયા છીએ..
અમે પશુ-પ્રાણીઓ ના માંસ-મટન ખાયને,,
ગાય ને માતા બનાવવા નીકળિયા છીએ..

અમે કામ,ક્રોધ,મદ,અધમઁ ના દાણા વાવિ,,
પવિત્ર નો પાક લણવા નીકળિયા છીએ..
અમે મડ,મૂત્ર ની ગંદકિ ફૅલાવિ,,
આજુબાજુ સુદરતા જોવા નીકળિયા છીએ..
કહે જીગો અમે બઘે અધર્મ,દૂગુણો ફેલાવિ,,
અમે ભગવાન ને બોલાવવા નીકળિયા છીએ..

BE HAPPY YAR


ગુરુવાર, 5 ફેબ્રુઆરી, 2015

" કોઈ નથી "

ભારત મારો દેશ છે કહેવા વાળા ધણા છે પણ,
દેશ-દાઝ વાળા કોઈ નથી.
ગાય ને માતા કહેવા વાળા ધણા છે પણ,
સેવા અને સાચવનાર કોઈ નથી.
મા-બાપના ગુણગાન ગાનર ધણા છે પણ,
શ્રવણ  બનનાર કોઈ નથી.
હુ તને ચાહુ છુ કહેવા વાળા ધણા છે પણ,
પ્રેમ વિશે જાણનાર કોઈ નથી,
દરેક ધર્મના મદિંરો-ભક્તજનો ધણા છે પણ,
ભગવાનને પ્રસ્સન કરનાર કોઈ નથી.
વિદ્યા આપનાર ગુરુઓ-પસ્તકો ધણા છે પણ,
જીવનમા ઉતારનાર કોઈ નથી.
સાધુ-સંતો-આસ્તિકો ધણા છે પણ,
સત્ય અને પ્રિય બોલનાર કોઈ નથી.
ગુજરાતી લખનાર-સમજનાર ધણા છે પણ,
ગુજરાતી બોલનાર કોઈ નથી.
    

                  

BE HAPPY YAAR
Blogger Widgets