કદાચ એમ લાગે છે કે દુનિયામાં ભગવાન,ભગવાનના મંદિરો,તેના વિચારો,તેની વાતો,તેની કલ્પના,કથા,ભજન ના હોત તો જરૂર સ્વર્ગ હોત,
એક પ્રશ્ન મનમાં ઉદ્દભવે છે કે ભગવાન દુનિયા માટે,દુનિયાના લોકો માટે જરૂરી છે કે બિનજરૂરી ? ,,,
મને તો એમ થાય છે કે ભગવાન દુનિયા માટે બિનજરૂરી છે કારણ કે ભગવાન હોવાથી લોકો પોતાના માતા-પિતાને વધુ પ્રેમ કરવાને બદલે ભગવાનને વધુ પ્રેમ કરવા લાગ્યા છે,ગરીબો માટે મકાનો બનાવવા ને બદલે ભગવાન માટે વધુ મંદિરો બનાવવા લાગ્યા છે,ભૂખ્યાને ભોજન આપવાને બદલે ભગવાનને બત્રીસ ભાતના ભોજન આપવા લાગ્યા છે,લોકોને લોકોની ચિંતા થવાને બદલે ભગવાનની વધુ ચિંતા થાય છે,ભગવાનને નવા નવા વાધા પહેરવામાં આવે છે જયારે પોતાના લોકોના કપડા ફાટી જાય તો પણ તેને નવા લઇ દેતા નથી.,ભગવાન દુનિયામાં આવી ગયા એટલે આવું બધું નુકશાન થયું હોય એવું મને લાગે છે,
તમારા માટે બધાથી ઉતમ શું ,,,,,,,, " ભગવાન માટે શહીદ થવું તે કે પછી આપણી માનવજાત માટે શહીદ થવું તે "
તમને શું લાગે છે...
હા તમે ભગવાનના ભક્તો છો તે હું જાણું છું એટલે પહેલા ગુસ્સો કરવાને બદલે થોડુક વિચાર કરજો,,,,,,,,ખોટું લાગે તો માફ કરજો મિત્રો
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો