" રાજકારણ વિષે એક વધારાનો વિચાર : " સામાન્ય પ્રજાને ગમે તે સરકારી અથવા તો અર્ધસરકારી નોકરી કરવી હોય તો તેના માટે તેની જરૂરી શાળાકીય લાયકાત હોવી જરૂરી છે નહિતર તેને તેમાં પ્રવેશ મળે નહી પણ કોઈને રાજકારણી બનવું હોય પણ તેની પાસે કોઈ ડીગ્રી ના હોય.પહેલું ધોરણ પણ તે ભણ્યો ના હોય છતાં તે રાજકારણી બની જાય છે.જેમ બીજી નોકરીમાં કોમ્પીટીશન થાય,પરીક્ષા લેવાય અને તેમાં પાસ થાય તોજ જે તે ઉમેદવાર લાયક ગણાય પણ રાજકારણમાં એવું કઈ હોતું નથી,તેમાં તો જેના મત વધુ તે જીતે અને જેના મત ઓછા તે હારે....દરેક નોકરીમાં લાયકાત જરૂરી છે પણ રાજકારણમાં લાયકત હોય કે ના હોય પણ નાલાયક હોય તે વધુ જરૂર પડતી હોય છે,
એમ લાગે છે કે " અભણ લોકો દેશ ચલાવે છે અથવા તો દેશ ના રાજા બને છે અને શિક્ષિત લોકો નોકરી કરે છે એટલે દેશના અભણ રાજાની ગુલામી કરે છે.અભણ રાજા રાજી એટલે તમે પણ રાજી અને તે નાખુશ એટલે તમે પણ નાખુશ.............
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો